Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

બારિયાવાડ ખાતે આગેવાન ઉમેશભાઈ બારીએ પંચાયત દ્વારા જનભાગીદારી સાથે થઈ રહેલા કામની કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
આજે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડખાતે સવારની અને ઢોલર ખાતે સાંજની ચૌપાલ બેઠક મળી હતી.
સવારના બારિયાવાડ ખાતે યોજાયેલ ચૌપાલમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને સેક્રેટરી શ્રી નિખિલભાઈ મિટનાએ જરૂરી સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહેલા ગામના આગેવાન શ્રી ઉમેશભાઈ બારીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પંચાયત દ્વારા જનભાગીદારી સાથે થઈ રહેલા વિકાસ કામોની તેમણે પ્રશંસા કરી હતી અને તમામ ગ્રામવાસીઓને સુકો અને ભીનો કચરો અલગ-અલગ રીતે અલગ અલગ ડસ્‍ટબીનમાં નાંખી કચરો ઉપાડવા આવનાર કર્મીઓને આપવાની સમજ આપી હતી. જેના કારણે આપણી ગ્રામ પંચાયત સ્‍વચ્‍છ, સુંદર, રમણિય અને ડસ્‍ટબીન ફ્રી બનશે.
સાંજે ઢોલર ખાતે સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં સાંજની ચૌપાલ બેઠક મળી હતી. જેમાં પણ નાગરિકોને જાગૃત કરાયા હતા.
આ કાર્યક્રમમાં પંચાયતના જે.ઈ.શ્રી વિપુલ રાઠોડ, શ્રી સુલેખ દમણિયા સહિત કર્મીઓએ પણ ભાગ લીધો હતો.

Related posts

સંઘપ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં પક્ષના જનાધારને વધારીલોકોને પાર્ટી સાથે જોડવા થયેલું મનન-મંથન

vartmanpravah

દીવ પ્રશાસન દ્વારા જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્‍યો

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

હાઈવે ઉદવાડા-વલસાડ ટ્રેક ઉપર કન્‍ટેનરથી ટ્રેલર છૂટું પડી જતા ચાર-પાંચ વાહનોને અડફેટમાં લીધા

vartmanpravah

વલસાડ કોપરી ફાટક ઉપર બસ ફસાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા : ટ્રેન અટકી જતા મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

Leave a Comment