સ્પાર્ટન કેબલ્સ પ્રા.લિ.ના સંચાલકોએ 2010-2016 સુધીનો રૂા.3,01,53,624નો સરકારને ચુનો લગાવતા બે ડાયરેક્ટરો સામે ફરિયાદ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપી જી.આઈ.ડી.સી. ખાતે આવેલી સ્પાર્ટન કેબલ પ્રા.લી. કંપનીના સંચાલકોએ વર્ષ 2010 થી 2016 સુધી કંપની દ્વારા થયેલા વેચાણ ઉપરનો વેચાણ વેરો રૂા.3,01,53,624 સરકારમાં જમા નહી કરાવી ચુનો લગાડતા વેચાણવેરા વિભાગે બે સંચાલકો વિરૂધ્ધ જી.આઈ.ડી.સી. પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વાપી જી.આઈ.ડી.સી.માં આવેલ સ્પાર્ટન કેબલ પ્રા.લી. નામની કંપની કાર્યરત હતી. જેના ડાયરેક્ટર તરીકે જીજ્ઞેશભાઈ શંકરભાઈ પટેલ તથા રમીલાબેન શંકરભાઈ પટેલની નોંધ કરાવાયેલ છે. કંપની દ્વારા 2010 થી 2016 દરમિયાન તો વેચાણ વેરો જમા કરાવેલ નથી તેથી રાજ્ય વેરા કમિશનરના આદેશ અનુસાર જીજ્ઞેશ પટેલ અનેરમીલા પટેલ વિરૂધ્ધ વારંવાર નોટિસ સંચાલકોને આપવામાં આવી હતી. પરંતુ કંપની સંચાલકો આજદિન સુધી વેચાણ વેરો ભરપાઈ ન કરતી વેરા નિરીક્ષક દિનેશચંદ્ર પુનમચન્દ્ર દરજીએ વાપી જીઆઈડીસી પોલીસમાં બન્ને ડાયરેક્ટરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કંપની બંધ કરી સંચાલકો જતા રહેલા હોવાથી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.