April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સ્‍થાપના દિનની ઉજવણી, રેલી કાઢવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ (આરએસએસ)ના આજરોજ 99 વર્ષ પૂરા થયા છે. આજરોજ આરએસએસ સંઘનો સ્‍થાપના દિવસ છે. 27 સપ્‍ટેમ્‍બર 1925 માં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘની સ્‍થાપના મહારાષ્‍ટ્રના નાગપુર ખાતે ડો.કેશવ હેડગોવારજીએ કરી હતી. ત્‍યારથી લઈને આજદિન સુધી દર વિજયા દશમીના દિવસે આરએસએસ આજના દિવસને સ્‍થાપના દિવસ નિમિત્તે દરેક શહેર ગામમાં સંઘની રેલીનું આયોજન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીમાં આરએસએસ સંઘના સંગઠન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અને ત્‍યાર બાદ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીના સમાજ સેવક કિરણ રાવલને મુખ્‍ય મહેમાન તરીકેબોલવવામાં આવ્‍યા હતા. આ પ્રોગ્રામમાં વાપીના સમાજ સેવક કિરણ રાવલ જે છેલ્લા ઘણા વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે અને સમાજ સેવક વાપીની પોતાના એરિયામાં લાગતી સિદ્ધનાથ મહાદેવ મંદિરની આરએસએસની શાખાના મુખ્‍ય શિક્ષક તરીકે ભૂમિકા પણ બજાવી ચૂક્‍યા છે અને વાપી તેમજ આજુબાજુના એરિયામાં છેલ્લા 8 વર્ષથી નિઃસ્‍વાર્થ ભાવે પોતાના તન, મન, ધનથી સમાજ સેવા કરતા રહે છે. સમાજ સેવક કિરણ રાવલે પોતાની જિંદગીના લગભગ 13 એક વર્ષ આરએસએસના દરેક પ્રોગ્રામમાં જોડાયેલા રહ્યા છે. સમાજ સેવક કિરણ રાવલ આરએસએસ 7 દિવસના કેમ્‍પ ત્‍યાર બાદ 15 દિવસના કેમ્‍પ આમ ઘણા આરએસએસ કેમ્‍પ પણ ભર્યા છે. આમ સમાજ સેવક કિરણ રાવલ સમાજ સેવા ઉપરાંત નરેન્‍દ્ર મોદી વિચાર મંચ, સર્વ દલિત ગૌ સેવા દલ, તેમજ પોતાના સમાજના દેશ અને રાજ્‍ય લેવલ પર ચાલતા ઘણા સંગઠનો સાથે જોડાયેલા છે. આમ સમાજ સેવક કિરણ રાવલ પોતાની જિંદગીમાં દરેક સંગઠનમાં દરેક ક્ષેત્રે પોતાની ફરજ નિઃસ્‍વાર્થ ભાવે ફરજ બજાવી રહ્યા છે.

Related posts

જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે દરેક તાલુકાઓમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

vartmanpravah

વલસાડમાં દારૂ ઘૂસાડવાની લ્‍હાયમાં બુટલેગરે બે રાહદારી અને મોપેડને ટક્કર મારતા કાર પલટી ગઈ

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક પરિતોષ શુક્‍લા અને રમત-ગમત અધિકારી અધિકારી ગૌરાંગ વોરાના હસ્‍તે દાનહઃ ટોકરખાડા શાળામાં હોકીના જાદુગરની જન્‍મ જયંતિ પર મેજર ધ્‍યાનચંદ રમત-ગમત ખંડનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીનો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment