Vartman Pravah
Breaking Newsદીવ

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03
આજે સમગ્ર ભારત પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના આદેશ અનુસાર 15 થી 18 વર્ષના બાળકોને કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. આજે દીવ જિલ્લામાં પણ આરોગ્‍ય વિભાગ દ્વારા 9 થી 12 ધોરણમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને સૂર્યોદય સાથે કોવેક્‍સીન કોરોના રસીકરણ અભિયાન દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવ્‍યુ. દીવ વણાકબારા, ઘોઘલા, બુચરવાડામાં આજે કોરોના રસીકરણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યું, ત્રણ દિવસ દરમિયાન 9 થી 12 ધોરણ, કોલેજ, આઈ.ટી.આઈ તથા ટી.ટી.આઈના 3,221 જેટલા વિદ્યાર્થીઓને દીવમાં કોરોના રસીકરણ આપવામાં આવશે. હાલ તો દીવમાં કોરોના ના એક પણ કોરોના ના કેસ એક્‍ટીવ નથી, પરંતુ દીવમાં ત્રીજી લહેરનુ આગમન ના થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી આજે વિદ્યાર્થીઓને પણ કોવેક્‍સીન આપી, જેથી સુરક્ષિત રહે અને અભ્‍યાસમાં ધ્‍યાન આપી શકાય. આજે વિદ્યાર્થીઓએ કોરોના વેકસીન લેવા ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો, અનેપ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી તથા દીવ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા ‘એક તારીખ, એક કલાક’, વલસાડ જિલ્લામાં 1લી ઓક્‍ટોબરે મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ કરાશે

vartmanpravah

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

દમણ પોલીસે વિખુટી પડેલી ચાર વર્ષની બાળકીનો પોતાના પરિવાર સાથે કરાવેલો મેળાપ

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે સેલવાસ ખાતેની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી એક બાળકને અન્‍ય રાજ્‍યના માતા-પિતાને દત્તક અપાયું

vartmanpravah

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah

Leave a Comment