Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દીવની જનતાને નવા વર્ષમાં મળેલી નૂતન ભેટ: દીવના ગાંધીપરા ખાતેની સરકારી જગ્‍યામાં પોસ્‍ટ ઓફિસનો થયેલો આરંભ

  • દીવના બંદર ચોક ખાતે ભાડાના મકાનમાં કાર્યરત પોસ્‍ટ ઓફિસની જગ્‍યા અનુકૂળ નહી હોવાથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાની દીવ મુલાકાત દરમિયાન કરેલી જાહેરાતનું પરિણામ

  • ટૂંક સમયમાં પોસ્‍ટ ઓફિસમાં પાસપોર્ટ સેવાનો પણ આરંભ થવાની સંભાવના : સ્‍થાનિકોને રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા નવા વર્ષમાં દીવની જનતાને નવી ભેટ આપવામાં આવી છે. પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા લેવાયેલા નિર્ણયના પરિણામે આજે ગાંધીપરા ખાતે ફાળવેલ સરકારી જગ્‍યામાં દીવ પોસ્‍ટ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
ઉલ્લેખનીય છે કે, દીવમાં બંદર ચૌક ખાતે આ પોસ્‍ટ ઓફિસ ભાડાના મકાનમાં કાર્યરત હતી અને એવું જાણવા મળે છે કે જે રૂમમાં આ પોસ્‍ટ ઓફિસ કાર્યરત હતી તેની હાલની સ્‍થિતિ યોગ્‍ય નહોતી. ચોમાસામાં તેની છત ઉપરથી પાણી પડતુ હતું. આ ઈમારતને પણ તોફાનદરમિયાન ખરાબ રીતે નુકસાન થયું હતું. આ પોસ્‍ટ ઓફિસ પહેલા માળે આવેલી હોવાને કારણે શારિરીક રીતે અશક્‍ત લોકોને પણ ઘણી મુશ્‍કેલીનો સામનો કરવો પડતો હતો. આ બિલ્‍ડીંગની હાલત અને દીવની સામાન્‍ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્‍કેલીનો સામનો કરવો નહી પડે તે બાબતને ધ્‍યાનમાં રાખીને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન ગાંધીપરા ખાતે આવેલ સરકારી જગ્‍યા દીવ પોસ્‍ટ ઓફિસ માટે ફાળવવાનો નિર્ણય લીધો હતો. તેમના દ્વારા લેવાયેલ નિર્ણયના પરિણામે દીવના ગોધીપરાના સરકારી પરિસરમાં આજે દીવ પોસ્‍ટ ઓફિસનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. જે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલની દીવની જનતા માટે નવા વર્ષની નવી ભેટ છે.
ઉદ્ધાટન સાથે આ પોસ્‍ટ ઓફિસ ગાંધીપરામાં કોર્ટ બિલ્‍ડીંગ સામે અને વીજ કચેરી પાસે કાર્યરત થઈ ગઈ.આ પોસ્‍ટ ઓફિસમાં, પોસ્‍ટલ સેવા, પોસ્‍ટ સેવિંગ બેંક, આધાર નોંધણી, પોસ્‍ટ પેમેન્‍ટ બેંક વગેરે જેવી પોસ્‍ટ સંબંધિત તમામ પ્રકારની સેવાઓ સામાન્‍ય લોકોને પહેલાની જેમ સરળતાથી પૂરી પાડવામાં આવશે. ટૂંક સમયમાં આ પોસ્‍ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા પણ શરૂ કરવામાં આવશે. હાલમાં દીવના લોકોને પાસપોર્ટની સેવા માટે વેરાવળ જવું પડે છે. પ્રશાસકશ્રીના પ્રયાસોથી ટૂંક સમયમાંદીવની જનતાને તેમાંથી મુક્‍તિ મળશે.
આ પ્રસંગે અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ, પોસ્‍ટ ઓફિસના કર્મચારીઓ અને આમ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

…અને દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓની બરબાદીનો આરંભ શરૂ થયો

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

vartmanpravah

Leave a Comment