Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
દાદરા નગર હવેલીના સીલી ગામે આવેલી કે.એલ.જે.ગ્રુપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ કંપનીમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ અને રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા આયોજિત આ શિબિરમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ સ્‍વેચ્‍છીક રક્‍તદાન કર્યું હતુ. આ રક્‍તદાન કેમ્‍પમાં 177 યુનિટ રક્‍ત એકત્ર થયુ હતું. આ શિબિર દેશના વિવધ ક્ષેત્રોમાં સ્‍થિત કે.એલ.જે.કંપનીમાં આયોજિત કરવામા આવ્‍યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર કંપનીના ચેરમેન શ્રી કન્‍હૈયાલાલ જૈનના જન્‍મદિવસના અવસર પર છેલ્લા 11 વર્ષથી 2જી જાન્‍યુઆરીએ કંપનીમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાંઆવે છે.આ શિબિરમાં કંપનીના વરિષ્ઠ અધિકારી શ્રી આર.પી.શર્મા, શ્રી આર.સી.ગુપ્તા તેમજ લાયન્‍સ ભરત તન્ના સહિત અન્‍ય સંસ્‍થાના પ્રતિનિધિઓ હાજર હતા.

Related posts

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

NITI આયોગે CSE અને ‘વેસ્ટ મુજબના શહેરો’ રિલીઝ કર્યા – મ્યુનિસિપલ ઘન કચરા વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રયાસોનું સંકલન

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

Leave a Comment