September 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસે ઘરફોડ ચોરીના ચાર રીઢા આરોપીઓની કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : ગુજરાતના વલસાડ અને મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી બાલદેવી કુવા ફળિયાના એક દુકાનદારે ગત 30 ઓગસ્‍ટ, 2024ના રોજ એમની દુકાનમાંથી રૂપીયા દોઢ લાખ રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ સાયલી પોલીસ મથકે નોંધાવી હતી. આ ફરિયાદના સંદર્ભમાં અજાણ્‍યા વ્‍યક્‍તિઓ સામે સાયલી પોલીસ સ્‍ટેશનના ગુનાહિત વિભાગ દ્વારા કલમ 331(4), 305 અને 3(5) બીએનએસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ દરમ્‍યાન એક ટીમ બનાવી શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓને પકડમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. જેમાંથી એક વ્‍યક્‍તિએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. જેની મદદથી પોલીસે બીજા અન્‍ય સાગરીતોને પણ શોધીકાઢી તેઓ પાસેથી ચોરી કરેલ કેટલીક રકમ અને એમાંથી ખરીદેલ સામાન જપ્ત કરવામાં આવ્‍યો હતો.
ચોરટાઓએ અજમાવેલી તરકીબમાં દુકાનના શટરને નીચેથી હુકમાં કપડું લગાવી એનાથી ખેંચવાથી શટર વળી ગયું હતું અને સહેલાઈથી ખુલી ગયું હતું ત્‍યારબાદ તાળુ તોડયા વગર જ દુકાનમાં ઘુસી ગયા હતા અને ચોરી કરી હતી. સાયલી પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં(1) અજય ઉર્ફે ઇકો રમણ જેની પાસેથી રોકડા રૂા. પાંચ હજાર મળી આવ્‍યા. આ આરોપી વિરુદ્ધ અગાઉના ઘરફોડ ચોરી અને મોબાઈલ ચોરીના બે કેસ દાખલ હોવાનું બહાર આવ્‍યું હતું. (2)ઈમ્‍તિયાઝ દિવાલ જેની પાસેથી રોકડા રૂા.ચાર હજાર મળ્‍યા હતા. (3)સતીશ મોહન જેની પાસેથી રોકડા 3500 રૂપિયા અને (4)કિરણ મંગલા જેની પાસેથી ચોરીના પૈસાથી મોબાઈલ ખરીદેલ એને પોલીસે જપ્ત કરવામા આવ્‍યો છે. ઘટનાની વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ‘એમ્બ્યુલન્સ’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલ ડેન્‍ગ્‍યુ નિવારણ અને નિયંત્રણ અભિયાનમાં દાનહ અને દમણ-દીવમાં છેલ્લા 3 અઠવાડિયામાં 2.86 લાખ મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોનો કરાયેલો નાશ

vartmanpravah

Leave a Comment