Vartman Pravah
Breaking Newsદમણ

દમણ ભેંસલોર કોળીવાડ ખાતે દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.0પ
આજરોજ નાની દમણના ભેંસલોર-કોળીવાડ ખાતે ગોતરેજ માતાના મંદિરમાં દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રશાસન દ્વારા સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) બાયલોઝ 2021 ની જાણકારી આપવામાં આવી. આ ચૌપાલમાં સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ તથા પંચાયત સેક્રેટરી શ્રીમતી અમિતા પટેલ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ ચૌપાલ દરમ્‍યાન ગામના લોકોને ઉત્‍પન્ન કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ, નોન બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ અંગે જાણકારી આપવામા આવી હતી. પંચાયત ક્ષેત્રમાં સ્‍વચ્‍છતા અંગે દેખભાળ માટે પંચાયત દ્વારા બનાવવામા આવેલ વોટ્‍સએપ ગ્રુપ અંગે પણ જાણકારી આપવામા આવી હતી. જેમાં સરપંચ, ચૂંટાયેલા સભ્‍ય અને પંચાયત સચિવ સામેલ છે.
ઉપરાંત ગ્રામજનોને સૂચનાત્‍મક પેમ્‍ફલેટ પણ વિતરણ કરવામા આવ્‍યા હતા. જેમા બાયો ડિગ્રેડેબલ અને રિસાયકલ કચરો, બાયો મેડિકલ કચરા અંગે જાણકારી હતી. ગામના લોકોને સ્‍વચ્‍છતાની સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે આગ્રહ કરવામા આવ્‍યો હતો. સામાન્‍ય જનતાને સ્‍વચ્‍છતા સુવિધાઓનોઉપયોગ કરવાની સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે પણ સંવેદનશીલ બનાવવામાં આવી હતી.
આ રાત્રિ ચૌપાલમાં પંચાયતના સરપંચ અને પંચાયત સચિવ અને સામાન્‍ય જનતાને સૂચિત કરવામા આવી હતી કે, તા.26મી જાન્‍યુઆરી આ પ્રકારની સાપ્તાહિક આવી રાત્રિ ચૌપાલનું આયોજન કરવામા આવે કે જેથી જનતાને સોલિડ વેસ્‍ટ હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ ઉપનિયમ 2021અંગે જાગળત કરી શકાય અને ઉપનિયમ અને સ્‍વચ્‍છતાને જનભાગીદારી આંદોલન બનાવી શકાય.

Related posts

દીવ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નવનિયુક્‍ત દીવ કલેકટર અને નવનિયુક્‍ત એસપી સાથે શુભેચ્‍છા મુલાકાત કરી

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિને સન્‍માન કરી પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યું

vartmanpravah

લીલાછમ સૌંદર્ય વાતાવરણમાં રાષ્‍ટ્રીય પક્ષી મોર પ્રિયતમા ઢેલને આકર્ષવા કળા કરી થનગનાટ કરતો કેમેરામાં કેદ થયો

vartmanpravah

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

Leave a Comment