September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડ

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

છ જેટલા સુચિત ડેમો બનશે તો 50 હજાર આદિવાસીને અસર થશે : કોંગ્રેસ નેતાઓ ઠેર ઠેર સભા યોજી મેદાને

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14
તાજેતરમાં કેન્‍દ્રીય નાણામંત્રીએ નવિન બજેટમાં ગુજરાતની પાર-નર્મદા-તાપી નદી લિંક પ્રોજેક્‍ટ બનાવવાની જોગવાઈ અને જાહેરાત કરી હતી. જેના પ્રત્‍યાઘાત પૂર્વ આદિવાસી પટ્ટી ડાંગ-ધરમપુર વિસ્‍તારમાં પડવા શરૂ થયા છે. કોંગ્રેસી નેતાઓ, ધારાસભ્‍ય ઠેર ઠેર સભાઓ યોજી વિરોધનો વંટોળ ઉભો કરી રહ્યા છે.
ભારત સરકારના નાણામંત્રી સિતારમણે 2022-23નું કેન્‍દ્રીય બજેટ તાજેતરમાં સંસદમાં રજૂ કરેલું. જેમાં દેશમાં કેટલીક નદીઓને જોડવા રીવર લિંક યોજનાઓ બજેટમાં જોગવાઈ કરાઈ છે. જે પૈકી ગુજરાતની દમણગંગા, ઔરંગા, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટની જોગવાઈ સાથે નાણા ફાળવણી કરી છે. કેન્‍દ્ર સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણય બાદ દક્ષિણ ગુજરાત ખાસ કરીને પૂર્વ આદિવાસી પટ્ટી ડાંગ અને ધરમપુર વિસ્‍તારમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે તેનું કારણ કે ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ડાંગમાં વઘઈ-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ સહિત ધરમપુર વિસ્‍તારના ગામોમાં સભાઓ યોજીરહ્યા છે અને લોકોને જણાવી રહ્યા છે કે આ યોજનામાં છ જેટલા ડેમ બનશે અને 50 હજાર ઉપરાંત આદિવાસીને અસર થશે. ઘણા ગામો ડૂબાણમાં જશે અને જમીનો પણ જશે. ડાંગમાં ત્રણ અને ધરમપુરમાં પૈખડ, ચાસ માંડવા, મોહના કાચવાળીમાં ડેમો બનનાર છે. ધરમપુર વિસ્‍તારમાં તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલ તથા ધારાસભ્‍ય અનંત પટેલ ભરૂચના રાજ વસાવા જેવા નેતાઓએ આંદોલનના રણશિંગા ફૂંકી દીધા છે. વિરોધ સાથે આદિવાસીઓ ઠરાવો પણ કરી રહ્યા છે. આગામી સમયે આંદોલન જોર પકડે તેવી નૂકચેતીઓ નજરાઈ રહી છે.

Related posts

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah

પંજાબ: ફિરોજપુરમાં પી.એમ. નરેન્‍દ્ર મોદીની સુરક્ષાની સર્જાયેલી ક્ષતિના વિરોધમાં વલસાડ ભાજપ દ્વારા દેખાવો-સુત્રોચ્‍ચાર કર્યા

vartmanpravah

જલાલપોર તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

Leave a Comment