April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

પ્રવેશ વખતે વેક્‍સીન સર્ટીફિકેટ ફરજીયાત બતાવવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતુ અટકાવવા માટે પ્રશાસને વધુ એક નિર્ણય લીધો છે. બીજા રાજ્‍યમાંથી દમણમાં પ્રવેશતા પ્રવાસીઓ અને નાગરિકોએ વેક્‍સીનના બે ડોઝ લીધા છે. તેની ચકાસણી બાદ જ દમણમાં પ્રવેશ મળશે તેથી દમણ જતા પહેલા વેક્‍સીન સર્ટીફિકેટની તૈયારી કરીને દમણ જજો નહીંતર ચેકીંગમાં પરત આવવું પડશે.
સંઘપ્રદેશ પ્રશાસન કોરોનાને નિયંત્રિત કરવા માટે અનેક પગલાં ભરી રહેલ છે. ગઈકાલે ધો.1થી8ના ઓફલાઈન શિક્ષણ વર્ગો બંધ કરાવી દીધા છે. વિદ્યાર્થીઓએ ઓન લાઈન ઘરે રહીને અભ્‍યાસ કરવાનો રહેશે. સ્‍કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવી દેવાયું છે. આજે બહારના નાગરિકોને દમણમાં પ્રવેશ માટે વેક્‍સીનેશનના બે-ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ મળશે. તેવો જાહેરહિતમાં પ્રશાસને નિર્ણય લીધો છે.

Related posts

દાનહમાં છઠ્ઠ પૂજાની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટો તૈયાર કરાયા

vartmanpravah

આજે જીઆઈડીસી સૌરભ સોસાયટીમાં સરદાર પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

દમણ એરપોર્ટ ખાતે સાંસદ સહિતમહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કરેલું અભિવાદન

vartmanpravah

વલસાડના અબ્રામાની કંપનીમાં કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીના ખુડવેલ ગામે બે એસટી બસ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં એક ડ્રાઈવરનું મોત

vartmanpravah

Leave a Comment