Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

પ્રવેશ વખતે વેક્‍સીન સર્ટીફિકેટ ફરજીયાત બતાવવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતુ અટકાવવા માટે પ્રશાસને વધુ એક નિર્ણય લીધો છે. બીજા રાજ્‍યમાંથી દમણમાં પ્રવેશતા પ્રવાસીઓ અને નાગરિકોએ વેક્‍સીનના બે ડોઝ લીધા છે. તેની ચકાસણી બાદ જ દમણમાં પ્રવેશ મળશે તેથી દમણ જતા પહેલા વેક્‍સીન સર્ટીફિકેટની તૈયારી કરીને દમણ જજો નહીંતર ચેકીંગમાં પરત આવવું પડશે.
સંઘપ્રદેશ પ્રશાસન કોરોનાને નિયંત્રિત કરવા માટે અનેક પગલાં ભરી રહેલ છે. ગઈકાલે ધો.1થી8ના ઓફલાઈન શિક્ષણ વર્ગો બંધ કરાવી દીધા છે. વિદ્યાર્થીઓએ ઓન લાઈન ઘરે રહીને અભ્‍યાસ કરવાનો રહેશે. સ્‍કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવી દેવાયું છે. આજે બહારના નાગરિકોને દમણમાં પ્રવેશ માટે વેક્‍સીનેશનના બે-ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ મળશે. તેવો જાહેરહિતમાં પ્રશાસને નિર્ણય લીધો છે.

Related posts

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

વાપીની વર્તમાન નગરપાલિકાની ગુરૂવારે અંતિમ સામાન્‍ય સભા મળશે : મહાનગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરી લાખોનો ગાંજો ભરેલી કાર ઝડપી

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા વનવિભાગની કચેરીએ ભજનકીર્તન કરી આવેદનપત્ર અપાશે

vartmanpravah

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી, દમણ (દિંડોરી પ્રણિત) દ્વારા નાની દમણ ખારીવાડ ઝરીમરી માતાના મંદિરમાં એક દિવસીય બાળ સંસ્‍કાર શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment