July 26, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

પ્રવેશ વખતે વેક્‍સીન સર્ટીફિકેટ ફરજીયાત બતાવવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતુ અટકાવવા માટે પ્રશાસને વધુ એક નિર્ણય લીધો છે. બીજા રાજ્‍યમાંથી દમણમાં પ્રવેશતા પ્રવાસીઓ અને નાગરિકોએ વેક્‍સીનના બે ડોઝ લીધા છે. તેની ચકાસણી બાદ જ દમણમાં પ્રવેશ મળશે તેથી દમણ જતા પહેલા વેક્‍સીન સર્ટીફિકેટની તૈયારી કરીને દમણ જજો નહીંતર ચેકીંગમાં પરત આવવું પડશે.
સંઘપ્રદેશ પ્રશાસન કોરોનાને નિયંત્રિત કરવા માટે અનેક પગલાં ભરી રહેલ છે. ગઈકાલે ધો.1થી8ના ઓફલાઈન શિક્ષણ વર્ગો બંધ કરાવી દીધા છે. વિદ્યાર્થીઓએ ઓન લાઈન ઘરે રહીને અભ્‍યાસ કરવાનો રહેશે. સ્‍કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવી દેવાયું છે. આજે બહારના નાગરિકોને દમણમાં પ્રવેશ માટે વેક્‍સીનેશનના બે-ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ મળશે. તેવો જાહેરહિતમાં પ્રશાસને નિર્ણય લીધો છે.

Related posts

વલસાડમાં નવરાત્રી મહોત્‍સવના ડુપ્‍લીકેટ પાસનું કૌભાંડ ઝડપાયું : આયોજકોને આર્થિક નુકશાન

vartmanpravah

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

vartmanpravah

નાની દમણના સોમનાથ ખાતે ફોર્ચુન ડી.પી.નેનો-1 યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્‍સવમાં પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની જિ.પં. સભ્‍ય રીનાબેન સાથે લીધેલો આરતીનો લ્‍હાવો

vartmanpravah

Leave a Comment