Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

પ્રવેશ વખતે વેક્‍સીન સર્ટીફિકેટ ફરજીયાત બતાવવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતુ અટકાવવા માટે પ્રશાસને વધુ એક નિર્ણય લીધો છે. બીજા રાજ્‍યમાંથી દમણમાં પ્રવેશતા પ્રવાસીઓ અને નાગરિકોએ વેક્‍સીનના બે ડોઝ લીધા છે. તેની ચકાસણી બાદ જ દમણમાં પ્રવેશ મળશે તેથી દમણ જતા પહેલા વેક્‍સીન સર્ટીફિકેટની તૈયારી કરીને દમણ જજો નહીંતર ચેકીંગમાં પરત આવવું પડશે.
સંઘપ્રદેશ પ્રશાસન કોરોનાને નિયંત્રિત કરવા માટે અનેક પગલાં ભરી રહેલ છે. ગઈકાલે ધો.1થી8ના ઓફલાઈન શિક્ષણ વર્ગો બંધ કરાવી દીધા છે. વિદ્યાર્થીઓએ ઓન લાઈન ઘરે રહીને અભ્‍યાસ કરવાનો રહેશે. સ્‍કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવી દેવાયું છે. આજે બહારના નાગરિકોને દમણમાં પ્રવેશ માટે વેક્‍સીનેશનના બે-ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ મળશે. તેવો જાહેરહિતમાં પ્રશાસને નિર્ણય લીધો છે.

Related posts

સીબીએસઈ બોર્ડનું સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 10નું પરિણામ 99 ટકા આવ્‍યું

vartmanpravah

વાપીમાં બિલ્‍ડરો-ઉદ્યોગકારોના સહકારથી શ્રી કચ્‍છી ભાનુશાલી ટ્રસ્‍ટ મિત્ર મંડળ દ્વારા 12-13 જાન્‍યુઆરીએ સાંઇરામ દવેનો હાસ્‍ય દરબાર અને દાંડિયા કિંગ ‘‘નૈતિક નાગડાનો દાંડિયા રાસ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્‍વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી

vartmanpravah

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના યોગદાનથી નિર્માણ થનાર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment