આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં વધારો લંબાવવા અંગે પણ સામાન્યસભામાં ચર્ચા થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29
વાપી નગરપાલિકાની સામાન્યસભા આવતીકાલે તા.30ને શનિવારના રોજ 11:30 કલાકે નગરસેવા સદનમાં પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાનાર છે. સામાન્ય સભામાં એજન્ડા મુજબની ચર્ચા અને નિર્ણયો લેવામાં આવશે.
શનિવારનારોજ યોજાનાર વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ શ્રીમતી કાશ્મિરાબેન શાહની અધ્યક્ષતામાં યાોજશે. સભામાં મુખ્યત્વે એજન્ડા મુજબના કામકાજો નિર્ણયો લેવાશે. તે પૈકી ત્રિમાસિક હિસાબની બહાલી, આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનામાં વધારો લંબાવવા, જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની સુચના અન્વયે નવી પાર્કિંગ પોલીસી બનાવવી, તા.25-7-22 ની મળેલ કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત તેમજ પ્રમુખ સ્થાનેથી જે રજૂઆત થાય તેની ચર્ચા અને બહાલી આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં આપવામાં આવશે.