Vartman Pravah
Breaking Newsદીવ

દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી

બંને ચેક પોસ્‍ટ પર તકેદારીના ભાગરૂપે કડક કોરોના ચેકિગ હાથ ધરાઈ

(તસવીર અહેવાલ: ફૈઝાન ફારુખ)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દીવ, તા.06
દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી થતાં બંને ચેક પોસ્‍ટ પર તકેદારીના ભાગરૂપે કડક કોરોના ચેકિગ હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં કોરોના અને અમીક્રોમના વધી રહેલા કેસોની ગંભીરતાને જોતા સંઘપ્રદેશ દ્વારા આદેશ જારી કરવામાં આવ્‍યા હતા.જેનું આજે ચૂસ્‍ત પાલન કરવામાં આવી રહ્યું છે. આજથી દીવ જિલ્લામાં આંગણવાડી તથા એક થી આઠ ઘોરણની શાળાઓ બંધ કરી દેવામા આવી હતી. સાથે દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા દીવની ઘોઘલા ચેક પોસ્‍ટ અને તડ ચેક પોસ્‍ટ પર કોરોના વેકસીનના ડોઝ લીધા હોય તેનુ સર્ટિફિકેટ ફરજીયાત બતાવવું તથા વેક્‍સીનના લીધી હોય તો દીવ ચેકપોસ્‍ટ પર કોરોના વેકસીન આપવાની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.
દીવ ચેકપોસ્‍ટ પર દીવમાં આવનારા વ્‍યક્‍તિઓને કોરોના ટેસ્‍ટ પણ કરવામાં આવી રહ્યું છે તથા માસ્‍ક નહિ પહેરનારને પણ દંડિત કરવામાં આવી રહયા છે, કોરોનાની તમામ ગાઈડ-લાઈનનુ પાલન કરવા લોકોને સૂચનો કરવામા આવ્‍યું હતું. હાલની આ ગંભીર પરિસ્‍થિતિ પહોંચી વળવા દીવ પ્રશાસન તરતોડ પ્રયાસો કરી રહી છે.
દીવ પ્રશાસન દ્વારા લોકોને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા સૂચનોકર્યા છે, તેમણે લોકોને માસ્‍ક પહેરવા વારંવાર સેનીટાઈઝર કરવા તથા લોકો વચ્‍ચે સામાજીક અંતર રાખવા ખાસ અપીલ કરવા આવી છે.

Related posts

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં વલસાડ ડાયટ દ્વારા સ્‍પોર્ટ ઈન્‍ટિગ્રેટેડ એજ્‍યુકેશન ટોય ઈન્‍ટીગ્રેટેડ એજ્‍યુકેશન વર્કશોપ યોજાયો

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામના એક વર્ષ બાદ દાનહ સાંસદ કલાબેન ડેલકરથીમોહભંગ બની રહેલા લોકોઃ પ્રદેશની સમસ્‍યાને સ્‍થાનિક યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂ કરવા રહેલા નિષ્‍ફળ

vartmanpravah

જન્‍મદિવસ નિમિતે પ્રાથમિક ગુજરાતી શાળા ખુટલીના વિદ્યાર્થીઓને વોટરબેગની ભેટ

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah

Leave a Comment