Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.06
વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગણદેવી તાલુકાના વલોટી ભૈયા ટેકરી ખાતે રહેતી આશાપાલ સુમતોપાલ અશોકપાલ (ઉ.વ-29) (મૂળ રહે.અશ્રમપરા તા.જી.બાકુરા (પヘમિ બંગાળ) જે ગત તા.25/12/2021 ના રોજ બપોરના સમયે પતિ સુમતોપાલ અને છોકરા સાથે ચીખલી બામણવેલ ખાતે રહેતા સસરાના ધરે આવવા નીકળેલાહતા.
દરમ્‍યાન પતિ સંમતોપાલે પત્‍ની અને છોકરાને ચીખલી કોલેજ ખાતે આવી ચીખલીથી વાંસદા જતી બસમાં મૂકી પતિ પરત વલોટી જવા નીકળી ગયેલ દરમ્‍યાન પત્‍ની છોકરો સમ્રાતને પોતાના સાસરા પાસે બહાર ગેટ આગળ મૂકી હું બ્‍યુટી પાર્લરમાં જાઉં છું કહી ગયા બાદ પરત નહી આવતા પરિવારજનોએ આજુબાજુ તેમજ સગાસબંધીને ત્‍યાં તપાસ કરતા ન મળતા હતાશ થયેલા પરિવારે આખરે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

vartmanpravah

એસટી બસમાં મુસાફરના સ્‍વાંગમાં દારૂ લઈ જતી આઠ મહિલા અને એક પુરુષની પારડી પોલીસે કરી ધરપકડ

vartmanpravah

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

vartmanpravah

Leave a Comment