(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.06
વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગણદેવી તાલુકાના વલોટી ભૈયા ટેકરી ખાતે રહેતી આશાપાલ સુમતોપાલ અશોકપાલ (ઉ.વ-29) (મૂળ રહે.અશ્રમપરા તા.જી.બાકુરા (પヘમિ બંગાળ) જે ગત તા.25/12/2021 ના રોજ બપોરના સમયે પતિ સુમતોપાલ અને છોકરા સાથે ચીખલી બામણવેલ ખાતે રહેતા સસરાના ધરે આવવા નીકળેલાહતા.
દરમ્યાન પતિ સંમતોપાલે પત્ની અને છોકરાને ચીખલી કોલેજ ખાતે આવી ચીખલીથી વાંસદા જતી બસમાં મૂકી પતિ પરત વલોટી જવા નીકળી ગયેલ દરમ્યાન પત્ની છોકરો સમ્રાતને પોતાના સાસરા પાસે બહાર ગેટ આગળ મૂકી હું બ્યુટી પાર્લરમાં જાઉં છું કહી ગયા બાદ પરત નહી આવતા પરિવારજનોએ આજુબાજુ તેમજ સગાસબંધીને ત્યાં તપાસ કરતા ન મળતા હતાશ થયેલા પરિવારે આખરે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.