Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.06
વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગણદેવી તાલુકાના વલોટી ભૈયા ટેકરી ખાતે રહેતી આશાપાલ સુમતોપાલ અશોકપાલ (ઉ.વ-29) (મૂળ રહે.અશ્રમપરા તા.જી.બાકુરા (પヘમિ બંગાળ) જે ગત તા.25/12/2021 ના રોજ બપોરના સમયે પતિ સુમતોપાલ અને છોકરા સાથે ચીખલી બામણવેલ ખાતે રહેતા સસરાના ધરે આવવા નીકળેલાહતા.
દરમ્‍યાન પતિ સંમતોપાલે પત્‍ની અને છોકરાને ચીખલી કોલેજ ખાતે આવી ચીખલીથી વાંસદા જતી બસમાં મૂકી પતિ પરત વલોટી જવા નીકળી ગયેલ દરમ્‍યાન પત્‍ની છોકરો સમ્રાતને પોતાના સાસરા પાસે બહાર ગેટ આગળ મૂકી હું બ્‍યુટી પાર્લરમાં જાઉં છું કહી ગયા બાદ પરત નહી આવતા પરિવારજનોએ આજુબાજુ તેમજ સગાસબંધીને ત્‍યાં તપાસ કરતા ન મળતા હતાશ થયેલા પરિવારે આખરે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

vartmanpravah

મધ્‍યપ્રદેશના મહામહિમ રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે ચીખલીના ટાંકલ ગામે સહકારી અગ્રણીના નિવાસ સ્‍થાને સ્‍થાનિક આગેવાનો સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચીખલીના મજીગામમાં પરિવાર મુંબઈ જતા તસ્‍કરોએ રાત્રે ઘરમાં ઘૂસી રોકડ તથા દાગીના મળી રૂા.1.10 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

સાદડવેલ ગામે કાર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાઈક સવારનું સ્‍થળ ઉપર મોત

vartmanpravah

વાપીના લવાછામાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું ઉષ્‍માભેર સ્‍વાગત કરતા ગ્રામજનો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર ધીમી પડી પરંતુ સાવચેતી જરૂરી છે

vartmanpravah

Leave a Comment