Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.06
વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગણદેવી તાલુકાના વલોટી ભૈયા ટેકરી ખાતે રહેતી આશાપાલ સુમતોપાલ અશોકપાલ (ઉ.વ-29) (મૂળ રહે.અશ્રમપરા તા.જી.બાકુરા (પヘમિ બંગાળ) જે ગત તા.25/12/2021 ના રોજ બપોરના સમયે પતિ સુમતોપાલ અને છોકરા સાથે ચીખલી બામણવેલ ખાતે રહેતા સસરાના ધરે આવવા નીકળેલાહતા.
દરમ્‍યાન પતિ સંમતોપાલે પત્‍ની અને છોકરાને ચીખલી કોલેજ ખાતે આવી ચીખલીથી વાંસદા જતી બસમાં મૂકી પતિ પરત વલોટી જવા નીકળી ગયેલ દરમ્‍યાન પત્‍ની છોકરો સમ્રાતને પોતાના સાસરા પાસે બહાર ગેટ આગળ મૂકી હું બ્‍યુટી પાર્લરમાં જાઉં છું કહી ગયા બાદ પરત નહી આવતા પરિવારજનોએ આજુબાજુ તેમજ સગાસબંધીને ત્‍યાં તપાસ કરતા ન મળતા હતાશ થયેલા પરિવારે આખરે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

સેલવાસમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા અંડર-14 બોયઝ-ગર્લ્‍સ અને અંડર 17 બોયઝ-ગર્લ્‍સની પ્રિ-સુબ્રતો કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યધક્ષતામાં કરાઇ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્‍ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

Leave a Comment