(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.06
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ફોરેસ્ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત નોડલ અધિકારી યોગેશ દેસાઈની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી.
ઉતરાયણ પર્વને ધ્યાને રાખી આ મિટિંગ યોજાઈ હતી. જેમા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને ઉતરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેમાં કરવામા આવતીકામગીરી બાબતે માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
પશુપાલન વિભાગના ડો. પરેશ પટેલ,1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સના અધિકારી શ્રી મયંકભાઈ પટેલ, શ્રી પ્રતિક સુથાર સહિત જીવદયા પ્રેમી શ્રી મિતુલ વ્યાસ સહિતના લોકો મિટિંગમા હાજર રહ્યા હતા.