April 18, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

પ્રત્‍યેક રવિવારે વલસાડમાં ખાસ રવિવારી બજાર યોજાય છે : બહારગામથી પણ વેપારી અને ગ્રાહકો ઉમટે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
પાછલા ત્રણ દિવસથી વલસાડ જિલ્લા અને વલસાડ વિસ્‍તારમાં કોરોનાનું સંક્રમણ બેફામ બની રહ્યું છે. જેને અટકાવવા વહીવટી તંત્ર તરફથી એક એક નવા નિયમો આદેશ જાહેર કરવામાં આવી રહ્યા છે. આજે વલસાડ સીટીમાં સ્‍પેશિયલ રિક્ષા લાઉડ સ્‍પિકર દ્વારા જાહેર સુચના આપવામાં આવી હતી કે આગામી રવિવારથી વલસાડમાં યોજાતુ રવિવારી બજાર હવે પછીથી બંધ રાખવું એવો કલેક્‍ટર વલસાડએ હૂકમ જાહેર કરેલ છે.
આમ સામાન્‍ય માનવીની રોજીંદી નાની નાની ચીજવસ્‍તુઓની જરૂરીયાત માટે વલસાડમાં સ્‍પેશિયલ રવિવારી બજાર ભરાય છે. જેમાં દૂર દૂરથી લોકો સામાન ખરીદવા આવતા હોય છે પરંતુ કોરોનામાં થઈ રહેલ બેફામ વધારાને ધ્‍યાને લઈને જિલ્લા વહિવટી તંત્રએ આગામી રવિવારથી વલસાડમાં યોજાતુ રવિવારી બજાર બંધ રાખવાનો હૂકમ આપ્‍યો છે તેમજ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારને શિક્ષાત્‍મક કાર્યવાહી થશે તેવી રિક્ષા લાઉડ સ્‍પિકરથી આજે જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

‘સદસ્‍યતા અભિયાન’ અંતર્ગત દિલ્‍હી કેન્‍દ્રિય ભાજપ કાર્યાલયમાં યોજાયેલ કાર્યશાળામાં દમણથી વસિમ સૈયદ અને દાનહના મુસ્‍તાકભાઈ તવાએ આપેલી હાજરી

vartmanpravah

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

આજથી દમણમાં ધો.10 અને 1રની ગુજરાત બોર્ડની પરીક્ષાનો આરંભ : પ્રશાસન દ્વારા તૈયારી પૂર્ણ

vartmanpravah

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

vartmanpravah

Leave a Comment