June 22, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલયદ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં મળેલો ત્રીજો નંબર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ચીફ ઓફિસર મોહિત મિશ્રા અને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની પહેલનું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત સેલવાસ શહેર સ્‍વચ્‍છ, સુંદર અને આરોગ્‍યપૂર્ણ બનાવવા માટે સેલવાસ નગર પાલિકાએ વિવિધ અભિયાનો શરૂ કર્યા છે. જેમ કે કચરા નિર્માણ સ્‍થળ પર જ કચરાને અલગ અલગ કરવા માટે કચરાપેટીની વ્‍યવસ્‍થા, જાહેર સ્‍વચ્‍છતાગ્રહોનું નિર્માણ અને જાળવણી, સાર્વજનિક કચરાપેટીની સમય અવધી અનુસાર સાફ સફાઈ, તમામ જાહેર રસ્‍તાની સાફસફાઈ વગેરે.
જે અંતર્ગત સેલવાસ નગર પાલિકા હર્ષ સાથે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને સેલવાસ નગર પાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલય, નવી દિલ્‍હી દ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં ત્રીજો નંબર મળ્‍યો છે.

Related posts

પારડી વિસ્‍તારમાં બુટલેગરો બિન્‍દાસ: રાહદારીને કચડી સ્‍થળ પર મોત નીપજાવી ગાડી છોડી ફરાર

vartmanpravah

વલસાડમાં વકીલોના અભિવાદન સમારોહમાં સુરતમાં હાઈકોર્ટની બેન્‍ચ માટે માંગણીનો સુર ઉઠ્‍યો

vartmanpravah

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં મુક્‍ત પ્રયોગશાળાની શરૂઆત

vartmanpravah

સેલવાસના કેટલાક નામાંકિત બિલ્‍ડરોની સોસાયટી દ્વારા ડોકમરડી ખાડીમાં છોડાતું ગંદું પાણી

vartmanpravah

Leave a Comment