July 11, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલયદ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં મળેલો ત્રીજો નંબર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ચીફ ઓફિસર મોહિત મિશ્રા અને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની પહેલનું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત સેલવાસ શહેર સ્‍વચ્‍છ, સુંદર અને આરોગ્‍યપૂર્ણ બનાવવા માટે સેલવાસ નગર પાલિકાએ વિવિધ અભિયાનો શરૂ કર્યા છે. જેમ કે કચરા નિર્માણ સ્‍થળ પર જ કચરાને અલગ અલગ કરવા માટે કચરાપેટીની વ્‍યવસ્‍થા, જાહેર સ્‍વચ્‍છતાગ્રહોનું નિર્માણ અને જાળવણી, સાર્વજનિક કચરાપેટીની સમય અવધી અનુસાર સાફ સફાઈ, તમામ જાહેર રસ્‍તાની સાફસફાઈ વગેરે.
જે અંતર્ગત સેલવાસ નગર પાલિકા હર્ષ સાથે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને સેલવાસ નગર પાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલય, નવી દિલ્‍હી દ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં ત્રીજો નંબર મળ્‍યો છે.

Related posts

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

vartmanpravah

દાદરા ગાર્ડન નજીક રોડ ઉપર અચાનક વાછરડું આવી જતાં થયેલો અકસ્‍માત

vartmanpravah

દાનહમાં ભારે વરસાદને કારણે ખખડધજ બનેલા રસ્‍તાઓ તાત્‍કાલિક રીપેર કરવા સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આયોજીત ‘ઈન્‍ડિયા ડે’ના કાર્યક્રમમાં સેલવાસમાં વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્‍ઠ ભારતનો જયઘોષ

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળી પર્વમાં આક્‍સ્‍મિક બનાવો રોકવા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ દ્વારા સૂચનો

vartmanpravah

Leave a Comment