October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.10
તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિતનાઅધ્‍યક્ષસ્‍થાને પીઓ કમ ટીડીઓ હિરેન ચૌહાણ, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવભાઈ બારોટ, મદદનીશ ટીડીઓ જીતુભાઈ, ભાજપના મયંકભાઈ સાહિતનાઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં આરોગ્‍ય અધિકારી એ.બી.સોનવણેએ જણાવ્‍યું હતું કે, તાલુકાની સબ ડીસ્‍ટ્રીક હોસ્‍પિટલ અને ખાનગી હોસ્‍પિટલો મળી કુલ 250ની આસપાસ ઓક્‍સિજનવાળા બેડો ઉપલબ્‍ધ છે. સાથે ઓક્‍સિજન પ્‍લાન્‍ટો પણ કાર્યરત છે અને સિલિન્‍ડરની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. વધુમાં કોરોના માટે જરૂરી દવાઓનો જથ્‍થો પણ ઉપલબ્‍ધ છે. જોકે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.
વધુમાં ડો. સોનવણેએ જણાવ્‍યું હતું કે તાલુકામાં આશાવર્કરથી લઈને મેડિકલ ઓફિસર સુધીના 589 જેટલા તમામ ફ્રન્‍ટલાઈન કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ત્રીજો ડોઝ આપવાનું શરૂ કરાયું છે.
ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિતે પણ સ્‍થાનિક આગેવાનો, સરપંચો, વોર્ડ સભ્‍યો સાથે સંકલન રાખી શરદી, ઉધરસ, તાવની બીમારી હોય તો તાકીદે આરોગ્‍ય કર્મચારીઓને જાણ કરવા અનુરોધ કર્યો હતો. ટીડીઓ હિરેન ચૌહાણે દરેક ગામમાં આઇસોલેશન સેન્‍ટરનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાની માહિતી આપી હતી. હાલમાં તાલુકાનીહોસ્‍પિટલોમાં બેડ અને ઓક્‍સિજનની પણ પુરતી વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ છે. તાલુકામાં 11924 જેટલા વિદ્યાર્થીઓને રસીકરણના લક્ષ્યાંકની સામે 10907 જેટલા વિદ્યાર્થીઓને રસી આપી દેવામાં આવી છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં સી.એમ. કોન્‍વે દરમિયાન પોલીસે ટ્રાફિક માટે બળ પ્રયોગ કરતા વાહન ચાલકોએ હંગામો મચાવ્‍યો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહને દમણની મુલાકાત લઈ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

શરાબ શોખીનો માટે ખેમાણી ગ્રુપે લોન્‍ચ કરી નવીનતમ પ્રિમિયમ વ્‍હિસ્‍કી ‘રોયલ રિસ્‍પેક્‍ટ’

vartmanpravah

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

vartmanpravah

Leave a Comment