આગામી તા.9મી ઓગસ્ટના રોજ યોજાનાર વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈઃ દેશના સર્વોચ્ચ બંધારણીય રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને આવકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14: આજે શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજની આદિવાસી સાંસ્કળતિક ભવન ખાતે સામાન્ય સભા મળી હતી. જેમાં 9મી ઓગસ્ટ 2022ના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ના કાર્યક્રમને સફળ બનાવવા માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આદિવાસી સમાજના શ્રીમતી દ્રૌપદી મુર્મુને શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજે ટેકો જાહેર કરી હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી.
આ સભામાં સમાજના ભાઈઓ અને બહેનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહી સભાને સફળ બનાવી હતી.