March 21, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા. 10
દાદરા નગર હવેલીના સામરવરણી ગ્રામ પંચાયતમાં ‘ગ્રામ પંચાયત વિકાસ યોજના વર્ષ 2022-23’ની કાર્ય યોજના બનાવવા માટે ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે સરપંચશ્રીની અધ્‍યક્ષતામાં આજે ગ્રામસભાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં ‘સબકી યોજના, સબકા વિકાસ’ના સૂત્રને અનુલક્ષીને વિવિધ વિકાસના કામો જેવા કે પાણી, રોડ, લાઈટ, ગટર, સ્‍વચ્‍છતા, શિક્ષણ, આરોગ્‍ય, રમત-ગમત તથા રોજગાર જેવા મુખ્‍ય મુદ્દાના કામોને બહાલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સભામાં કોવિડ-19ને લઈ રસીકરણનો બીજો ડોઝ અને 15 થી 18વર્ષના બાળકો માટે વેક્‍સિન લેવા માટે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે સરપંચ શ્રીમતી કૃતિકાબેન અજયભાઈ બારાત, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી ભગુભાઈ પટેલ, ડીપીઓ, સીડીપીઓ, સમાજ કલ્‍યાણ વિભાગ, ડીઆરડીએ, આરોગ્‍ય વિભાગ, વન વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્‍યામા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યધક્ષતામાં કરાઇ

vartmanpravah

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

ઉમરગામથી વલસાડ જવા ટ્રેનમાં નિકળેલ પિતા સૂઈ જતા બે વર્ષની પૂત્રનું કોઈ અપહરણ કરી ગયું

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment