March 27, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા. 10
દાદરા નગર હવેલીના સામરવરણી ગ્રામ પંચાયતમાં ‘ગ્રામ પંચાયત વિકાસ યોજના વર્ષ 2022-23’ની કાર્ય યોજના બનાવવા માટે ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે સરપંચશ્રીની અધ્‍યક્ષતામાં આજે ગ્રામસભાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં ‘સબકી યોજના, સબકા વિકાસ’ના સૂત્રને અનુલક્ષીને વિવિધ વિકાસના કામો જેવા કે પાણી, રોડ, લાઈટ, ગટર, સ્‍વચ્‍છતા, શિક્ષણ, આરોગ્‍ય, રમત-ગમત તથા રોજગાર જેવા મુખ્‍ય મુદ્દાના કામોને બહાલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સભામાં કોવિડ-19ને લઈ રસીકરણનો બીજો ડોઝ અને 15 થી 18વર્ષના બાળકો માટે વેક્‍સિન લેવા માટે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે સરપંચ શ્રીમતી કૃતિકાબેન અજયભાઈ બારાત, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી ભગુભાઈ પટેલ, ડીપીઓ, સીડીપીઓ, સમાજ કલ્‍યાણ વિભાગ, ડીઆરડીએ, આરોગ્‍ય વિભાગ, વન વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્‍યામા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણીના સુચારૂં આયોજન માટે બેઠક મળી

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ પાણીની પરબ કાર્યરત કરી

vartmanpravah

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ડોકમરડી સરકારી શાળાની જગ્‍યા બદલવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

Leave a Comment