July 19, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ અને દમણમાં કોરોનાનો આંકડો 15-15 નોંધાયો : દીવમાં કોરોનાના 02 કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ/દીવ, તા.1ર
દમણમાં આજે કોરોનાના 1પ પોઝિટિવ કેસ અને દાનહ ખાતે 15 પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશના બંને જિલ્લામાં કોરોના ભયજનક રીતે આગળ વધી રહ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 294 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 1પ કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 86 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3531 જેટલા રીકવર થયા છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ કોઈપણ વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી નથી.
પ્રદેશમાં આજરોજ 06 નવા કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં (1) રોયલ હાઉસ, ક્રોસ લેન-3, દિલીપ નગર, દમણ (ર) સંજુ ચાલ, દાભેલ, નાની દમણ (3) શૈલેષની ચાલ, દલવાડા, નાની દમણ (4) મનુભાઈની ચાલ, સીમાબારની પાછળ (પ) દમણિયા એક્‍લેવ, એ-વિંગ,ખારીવાડ, દમણ (6) મદ્રાસા ચાલ, ખારીવાડ, દમણ
હાલમાં દમણમાં કુલ 33કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર છે. જેમાં દાભેલ-19, કચીગામ-0ર, દુણેઠા-04, દલવાડા-01, નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-06 અને મોટી દમણ નગર પાલિકા વિસ્‍તારમાં 01 કન્‍ટેન્‍મેન્‍ટ ઝોન જાહેર છે.
જ્‍યારે દાનહમાં નવા 15 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમાં 70 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5931 કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 571 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 15 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 236 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝીટીવ નહી નોંધાતા કુલ 15 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમાં 15 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 03 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ રસીકરણ કરવામા આવ્‍યું હતું. જેમા આજે 2572 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે -દેશમા -થમ ડોઝ 434600 અને બીજો ડોઝ 302559 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 734 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 737892 લોકોને વેક્‍સીન આપવામા આવી છે. દીવમાં પણ આજરોજ 0ર કોરોના પોઝિટિવ કેસોનોંધાયા હોવાની માહિતી સાંપડી છે. હાલમાં દીવમાં કુલ 18 કેસો સક્રિય છે. અત્‍યાર સુધીમાં 1223 કેસો રીકવર થઈ ચૂક્‍યા છે. હાલમાં દીવમાં 07, ઘોઘલા વિસ્‍તારમાં 04, વણાંકબારામાં-04 અને બુચરવાડા અને ઝોલાવાડી વિસ્‍તારમાં કુલ 04 કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરાયા છે.

Related posts

દાનહના એસ.પી. આર.પી.મીણાની અધ્‍યક્ષતામાં સેલવાસ હેડ ક્‍વાર્ટર ખાતે પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે સંપર્ક સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

ગુજરાતમાં સૌ પ્રથમ પારડીના ઉમરસાડીમાં બની રહેલી ફલોટીંગ જેટીનું મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

Leave a Comment