January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના એસ.પી. આર.પી.મીણાની અધ્‍યક્ષતામાં સેલવાસ હેડ ક્‍વાર્ટર ખાતે પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે સંપર્ક સભાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : આજે સેલવાસના પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતેપોલીસ અને હોમગાર્ડના જવાનોની વ્‍યક્‍તિગત અને આધિકારીક ફરિયાદો જાણવા માટે દાનહ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં ‘સંપર્ક સભા’નું આયોજન કરવામા આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે ‘સંપર્ક સભા’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સૌપ્રથમ ગત સંપર્ક સભાના કાર્યોનું એક લેઆઉટ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા સમક્ષ પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ઉપસ્‍થિત પોલીસ અને હોમગાર્ડના જવાનોએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ અવસરે દરેક કર્મીઓએ પોતાના પ્રશ્નો જેવા કે ફરજ દરમિયાન નડતી સમસ્‍યાઓ એસ.પી. સમક્ષ રજૂ કરી હતી. જેના પ્રત્‍યુત્તરમાં એસ.પી. શ્રી મીણાએ પણ તેમના દરેક પ્રશ્નોના ઉકેલનું સમાધાન કરવાનું આશ્વાસન આપ્‍યું હતું અને જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્‍યા હતા. પોલીસ અધિક્ષક શ્રી આર.પી.મીણાએ દાનહ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ ટીમવર્કની સરાહના કરી અને પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવતા પ્રયાસો અને વિવિધ કેસોના ઉકેલ અંગે પણ સરાહના કરી હતી અને ભવિષ્‍યમાં પણ આ પ્રકારના કાર્ય કરવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ ‘સંપર્ક સભા’માં એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, પી.ટી.એસ. સાયલી વાઇસ પ્રિન્‍સિપાલ શ્રીએન.એલ.રોહિત, મહિલા અને પુરૂષ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીને ફેલાતી અટકાવવા માટે દવા છંટકાવની શરૂ કરાયેલી કામગીરી

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલની વિદ્યાર્થીનીએ કરાટે સ્‍પર્ધામાં મેળવેલો કાંસ્‍ય પદક

vartmanpravah

સેલવાસ પીપરીયાબ્રિજ નીચે ઈલેક્‍ટ્રીક બસ, ટેન્‍કર અને બાઈક વચ્‍ચે ટ્રિપલ અકસ્‍માતઃ બાઈકચાલકને પહોંચેલી ઈજા

vartmanpravah

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment