April 30, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વના શુભ અવસર પર સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહની શહાદતની યાદમાં આ વર્ષથી 26 ડિસેમ્‍બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરાતા દમણ-દીવ શીખ સમાજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આજરોજ દમણ-દીવ શીખ સમાજના પદાધિકારીઓ અને આગેવાનોએ બેઠક યોજી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પત્ર લખીને ‘વીર બાળ દિવસ’ની જાહેરાત કરવા બદલ હાર્દિક આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.
આ પ્રસંગે દમણ-દીવ શીખ સમાજના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, પીએમ મોદીએ 26 ડિસેમ્‍બરને ‘વીર બાળ દિવસ’ તરીકે જાહેર કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે, જે માટે આખા ભારતનો શીખ સમાજ તેમનો હૃદયપૂર્વકઆભાર વ્‍યક્‍ત કરે છે. ‘વીર બાળ દિવસ’ જાહેર કરવાથી સમગ્ર દેશની જનતા જાણી શકશે કે, આપણા સાહિબજાદાઓએ આપણા દેશ માટે બલિદાન આપ્‍યું છે. આપણા ગુરુ ગોવિંદ સિંહ અને તેમના ચાર સાહિબજાદાઓએ ભારત માટે શહાદત આપી છે.
શીખ સમાજના આગેવાનોએ જણાવ્‍યું હતું કે, આપણા ગુરુ ગોવિંદ સિંહજીએ ધર્મ, સમુદાય અને દેશની રક્ષા માટે ઘણી લડાઈઓ લડી હતી. સાહિબજાદાઓની શહાદતને ઈતિહાસમાં નોંધવી જોઈએ કે જેથી કરીને લોકો જાણી શકે કે ગુરુ ગોવિંદ સિંહ અને તેમના સાહિબજાદાઓએ ભારત માટે બલિદાન શા માટે આપ્‍યું હતું. હવે દર વર્ષે 26મી ડિસેમ્‍બરે દમણ-દીવ અને વાપી શીખ સમાજ દ્વારા વીર બાળ દિવસની મોટા પાયે ઉજવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, માતા ગુજરી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને ચાર સાહિબજાદાઓની બહાદુરી અને આદર્શો લાખો લોકોને શક્‍તિ આપે છે. તેઓ કયારેય અન્‍યાય સામે ઝૂકયા નથી. તેમણે એવા વિશ્વની કલ્‍પના કરી હતી કે જે સર્વસમાવેશક અને સુમેળભર્યું હોય. ગુરુ ગોવિંદ સિંહ અને તેમના સાહિબજાદાઓ વિશે વધુને વધુ લોકો જાણે એ સમયની માંગ છે.

Related posts

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ-પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવા માંગ કરાઈ

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

વાપીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વે યોજાયેલ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું સમાપન

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

વાપીથી નાનાપોંઢા, ધરમપુર, ખાનપુર નેશનલ હાઈવે પર તંત્રએ લાખો રૂપિયાના ખર્ચે થિંગડા માર્યા પરંતુ આજે પણ ખાડાઓનું સામ્રાજ્‍ય યથાવત્‌

vartmanpravah

Leave a Comment