October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે નેહરુ યુવા કેન્‍દ્ર, દમણ દ્વારા ફૂટબોલ ગ્રાઉન્‍ડમાં રમત-ગમત સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.13: ‘વિશ્વ મહિલા દિવસ’ના ઉપલક્ષમાં ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયની સ્‍વાયત્ત સંસ્‍થા નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ફૂટબોલ ગ્રાઉન્‍ડ મોટી દમણ ખાતે બ્‍લોક સ્‍તરીય રમત-ગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા પ્રશાસનના સહયોગથી જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસની આગેવાની હેઠળ યોજાયેલી આ રમત-ગમત સ્‍પર્ધા દરમિયાન નારીશક્‍તિ ફિટનેસ રન, કરાટે, ટગ ઓફ વોર(દોરડાખેંચ) અને યોગાસન જેવી સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધાઓમાં નારી શક્‍તિ ફિટનેસ દોડમાં નિયતિ મંગેલા પ્રથમ, સપના પ્રસાદ દ્વિતીય અને જુહી સિંહ તૃતિય ક્રમે વિજેતા થયા હતા. ટગ ઓફ વોર(દોરખેંચ)માં પ્રથમ ક્રમે ઇનાયત ગ્રુપ, દ્વિતીય જેનિલ એન્‍ડ બોયઝ રહ્યા હતા. જ્‍યારે કરાટે (પુરુષ કેટેગરીમાં) પ્રથમ ક્રમે આદર્શ પટેલ, દ્વિતીય- પ્રિન્‍સ પાલેકર અને કરાટે (મહિલા કેટેગરીમાં પ્રથમ રિંકુ રાજપુરોહિત, દ્વિતીય કુમકુમ મહેરા વિજેતા રહ્યા હતા. યોગાસનમાં (પુરુષ વર્ગ) પ્રથમ બંટી સુનિલકુમાર રામ, દ્વિતીય સોનુ રામ, યોગાસનમાં (સ્ત્રી શ્રેણી) પ્રથમ ક્રમે રિયા સિંહ અને દ્વિતીય જુહીસિંહ રહી હતી. તમામ વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી આકાશ ઉદેશી, શ્રી અર્જુન ઉદેશી, શ્રી પાર્થ પારડીકર અને શાલીન ધોરીએ ફરજ બજાવી હતી. જ્‍યારે કાર્યક્રમના સફળ આયોજન માટે રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવકો નિકિતા ઉદેશી અને તોહા જરીવાલાએ મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું હતું.

Related posts

‘રાષ્‍ટ્રીય આદિજાતિ રમત-ગમત મહોત્‍સવ-2023′ ભુવનેશ્વરમાં યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

ઉમરસાડી મર્ડરના આરોપીની ધરપકડ બબાલ કરી વતન ભાગી ગયેલ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી-વલસાડ સહિત જિલ્લામાં મધરાતે ગાજવીજ કડાકા સાથે તોફાની વરસાદ પડયો

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારની બહેનોનેઆત્મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનથી સંઘપ્રદેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‘ગ્રામ સ્વરાજ્ય’ની વિચારધારા ઉપર પ્રશાસનની મહોર

vartmanpravah

Leave a Comment