March 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16
વિભાગીય નિયામક તરીકે હાજર થયા ત્‍યારે ચૌધરી પોતાની છબી પણ લેવા દેતા ન હતા, – મારું કામ જ બોલશે- ફોટાનું શું કામ? એવું કહેનારાની એલસીબીના બે જણા વચ્‍ચે 10 હજારની લાંચમાં પકડાતા વિડિયો ક્‍લિપ જ વાયરલ થઈ. લાંચિયા અધિકારીઓના લીધે વલસાડ વિભાગનો વહીવટ ખાડે ગયાના ઉપરાઉપરી ત્રણબનાવમાં ત્રણ ફરજ મોકૂફ થતા હાહાકાર મચ્‍યો છે.
પ્રાપ્ત વિગત મુજબ સુરત વિભાગીય નિયામક શ્રી સંજય જોશીએ વલસાડ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા જ વલસાડ વિભાગના તમામ ડેપોમાં કામચોરી કટકી સામે સળવળાટ શરૂ થયો છે. તા.14 થી 16 જાન્‍યુઆરી દરમિયાન રોજના એક લેખે ગુનેગાર થતા કંડકટર ડ્રાઈવર મિકેનિક વિગેરે સજાગ થયા છે.
14મીએ ધરમપુર ડેપોના કંડકટર કે.ડી. જોશી (690) અમદાવાદથી વાપી આવતા એક્‍સપ્રેસ બસમાં સુરતથી વાપીના બે મુસાફરોને રૂપિયા 214 ની ટિકિટ નહીં આપતા ડી.બી. પટેલ ટી.આઈ. અને એસ.એમ. પઠાણ એ.ટી.આઈ.ની લાઈન ચેકિંગ ટીમ દ્વારા ઝડપાઈ ગયા હતા જેમની સામે ખાતાકીય કાર્યવાહી થાય છે.
તા.15એ સુરત વિભાગની યંત્રાલય ટીમના એડબલ્‍યુએસ વિનય ગામીતે બીલીમોરા ડેપો ખાતે યંત્રાલયમાં ત્રાટકી હેડ મિકેનિક અશોક રાઠોડને ડેયલી-વિકલી મેન્‍ટેનન્‍સ ડોકિંગ કામે બેદરકારી દાખવતા યાંત્રિક રજીસ્‍ટરો વિ.મા ખામી જણાતા રોડ પર દોડતી બસ અકસ્‍માત કરે તેવી રાખતા ઝડપી પાડયા હતા જેને વલસાડ વિભાગીય યાંત્રિક ઈજનેર ગિરીશ પટેલે ફરજ મોકુફીનો આદેશ કરી વાપી બદલી કરી હતી.
તા.16 ના રોજ નવસારી ડેપોનો કંડકટર એન.બી. પટેલ (6830) વલવાડાથી નવસારી આવતા બે મુસાફરોને રૂપિયા 13-13 ની ટિકિટ નહીંઆપીને 26 રૂપિયાની કટકી કરતા એસ એમ પટેલ- એટીઆઈના હસ્‍તે વાસકૂઈ ખાતે ઝડપાઈ ગયા હતા. જે બંને કન્‍ડકટરોને ફરજ મોકુફીના આદેશ સાથે બદલી પણ કરવામાં આવશે.
એસ.ટી પ્રવાસીની આવકથી બધાના પગાર ભથ્‍થા ચૂકવવામાં આવે છે, બસ ભાડા કરતા ગેરકાયદેસર ફરતા વાહનો આવા તત્‍વોના લીધે કમાણી કરે છે અને એસટીને ખોટમાં ધકેલે છે તે જાણતા હોવા છતાં જાણીબૂઝીને પોતાના પગ ઉપર શા માટે કુહાડો મારે છે એવું મુસાફરોમાં ચર્ચાય છે.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાએ નરોલીના ડાંગી ફળિયા અને અથાલમાં યોજેલો સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની ચૂંટણીનો જામી રહેલો માહોલ

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

ટ્રક ડ્રાઈવરોના આંદોલનને લઈ વલસાડ જિલ્લામાં પેટ્રોલ પમ્‍પ ઉપર પેટ્રોલની ઉભી થયેલી અછત

vartmanpravah

દાનહમાં તો વિદ્યુત નિગમ બની ચૂક્‍યું હતું, પણ.. દમણ-દીવનું વિદ્યુત વિભાગ તો સરકારી હોવા છતાં તેનું વેચાણ શક્‍ય ખરું?

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment