(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પધરામણી થઈ હતી. જેમનું સ્વાગત ચંદનતારા ડુગર પરિવાર દ્વારા દાદરા ચેકપોસ્ટ નજીક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડુગર ફોઈલ કંપની પરિસર ખાતે આતિથ્ય સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી મહારાજશ્રીના આશિર્વાદ મેળવ્યા હતા.