June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી સી.એચ.સી.ખાતે ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ : કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી તૈયારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17
પારડી સીએચસી ખાતે 25 જેટલા બેડોને એક સાથે ઓક્‍સિજન મળી રહે એવા ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ પારડીના ધારાસભ્‍ય અને ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો .
આપણે સૌ જાણીએ જ છે કે કોરોનાની છેલ્લી બે લહેર દરમિયાન અનેક લોકોએ ઓક્‍સિજન વિના જીવ ગુમાવ્‍યા હતા અનેબહારથી ખૂબ મોંઘા ભાવે પણ ઓક્‍સિજન મેળવવા લોકો ઝઝૂમી રહ્યા હતા. ત્‍યારે હાલમાં ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી હોય ગુજરાત સરકાર કોઈપણ અનિચ્‍છનીય બનાવ નહીં બને અને ગઈ લહેરની જેમ કોઈને ઓક્‍સિજન વિના જાન ગુમાવ્‍યા નહીં પડે તેને ધ્‍યાનમાં લઇ દરેક તાલુકામાં ધારાસભ્‍યશ્રીના ફંડમાંથી ઓક્‍સિજન પ્‍લાન્‍ટ ની શરૂઆત કરી રહી છે.
એવી જ રીતે પારડી સી એચ સી સેન્‍ટર ખાતે 25 જેટલા લોકોને એક સાથે ઓક્‍સિજન મળી રહે એવા ઉમદા હેતુને લઈ આ પ્‍લાન્‍ટ લોકો માટે પારડીના ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના કેન્‍દ્ર મંત્રી શ્રી કનુભાઈ દેસાઇના હસ્‍તે ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો .ગઈકાલે સાંજે પધારેલ શ્રી કનુભાઈ દેસાઈનું સી.એચ.સી.ના મુખ્‍ય ડોક્‍ટર સિંઘ દ્વારા પુષ્‍પગુચ્‍છથી એમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ દિપ પ્રાગટય કરી સૌ મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
ધારાસભ્‍ય સાથે પધારેલ વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, પારડી નગરપાલિકાના પ્રમુખ એવા શ્રી હસુભાઇ રાઠોડ તથા સરદાર ભિલાડવાળા બેંકના પૂર્વ ચેરમેન એવા શ્રી શરદભાઈ દેસાઈ અને શ્રી હર્ષદભાઈ દેસાઈ, જિલ્લા આરોગ્‍ય અધિકારી ડોકટર શ્રી અનિલ પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર આ તમામનુંસ્‍વાગત ડોક્‍ટર વિરેન્‍દ્ર ગરાઈ, ડોક્‍ટર સવિતાબેન, ડોક્‍ટર તરુણ રાઠોડ, ડોક્‍ટર મયુર પટેલ, ડોક્‍ટર અવની પટેલ, ડોક્‍ટર ધારા પટેલ વિગેરેઓના હસ્‍તે આ તમામ મહેમાનનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં નગરના અગ્રણી એવા શ્રી રાજેશભાઈ રાણા, શ્રી કાંતિભાઈ પટેલ , શ્રી અરવિંદભાઈ સઘાડિયા, શ્રી નિલેશભાઈ ભંડારી, શ્રી સંજયભાઈ બારીયા, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી દેવેનભાઈ શાહ, પુષ્‍પાબેન પારડીવાળા, વનીતાબેન કટારીયા, શ્રી કેતનભાઈ પ્રજાપતિ વિગેરેઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતી કલાકાર એવા શ્રી પ્રીતેશ ભરુચા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

vartmanpravah

પંજાબમાં બનેલ ઘટનાનો પારડી ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

લોકસભા દંડક અને વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ-ડાંગના તીર્થધામોને પ્રવાસનમાં સમાવેશ કરવા સાંસદમાં કરેલી રજૂઆત

vartmanpravah

વાપી, અતુલ, વલસાડમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત સૂર્ય દેવતાને અર્ક ચઢાવી કરેલી છઠ્ઠ પૂજાની ઉજવણી

vartmanpravah

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

Leave a Comment