February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 17
વેસ્‍ટર્ન રેલ્‍વે દ્વારા પેસેન્‍જરોને લલચાવતા અને તેમની પાસેથી વધુ પડતું કમિશન વસૂલતા ટાઉટ સામે સ્‍પેશિયલ ડ્રાઇવ અને દરોડા પાડવામાં આવે છે. આવા દલાલો સામે કડક પગલાં લેતા, પヘમિ રેલ્‍વેના રેલવે પ્રોટેક્‍શન ફોર્સ (આરપીએફ) તમામ છ વિભાગોમાં નિયમિત સ્‍પેશિયલ ડ્રાઇવ ચલાવે છે. આના પરિણામે આશરે રૂા. 2.15 કરોડની કિંમતની ઇ-ટિકિટ અને મુસાફરી-કમ-રિઝર્વેશન ટિકિટો જપ્ત કરવામાં આવી હતી.
પヘમિ રેલવેના મુખ્‍ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રિલીઝ મુજબ, પヘમિ રેલવેના આરપીએફએ આરપીએફ ક્રાઈમ બ્રાન્‍ચ, સાયબર સેલ અને ડિવિઝનની ડિટેક્‍ટિવ વિંગના સમર્પિત સ્‍ટાફની વિશેષ ટીમોની રચના કરી છે. એવું જોવામાં આવ્‍યું હતું કે દલાલો કેટલાક અધિકળત આઈઆરસીટીસી એજન્‍ટો સહિત અનેક નકલી આઈડીનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરાવતા હતા, જેમણે ટિકિટ ઈશ્‍યુ કરવા માટે નકલી આઈડી અને ગેરકાયદેસર સોફ્‌ટવેરનો ઉપયોગ કર્યો હતો, જેનાથી મુસાફરોપાસેથી વધારાના પૈસા પડાવી લીધા હતા.
2021માં, પヘમિ રેલવેના રેલવે પ્રોટેક્‍શન ફોર્સે દલાલીના 684 કેસોમાં 734 લોકોની ધરપકડ કરી હતી અને લગભગ રૂા. કિંમતની કુલ 15,263 ટિકિટો જપ્ત કરી હતી. જે 2.15 કરોડ હતી. ઠાકુરેએ પણ માહિતી આપી હતી કે ટાઉટની ધરપકડ અને કાર્યવાહી માટે આવા નિયમિત અભિયાનો ઉપરાંત, આરપીએફ, પヘમિ રેલ્‍વેએ લોકોને ગેરકાયદેસર ટાઉટ પાસેથી ટિકિટ ખરીદવાથી નિરુત્‍સાહિત કરવા અને સાવચેત કરવા માટે ઘણી જાગળતિ ઝુંબેશ પણ હાથ ધરી છે. આ ઝુંબેશનો હેતુ મુસાફરોને રેલવે અધિનિયમની કલમ 143 ની કાયદાકીય જોગવાઈઓ અને અનધિકળત ટોટ પાસેથી ટિકિટ/ઈ-ટિકિટ ખરીદવાના પરિણામો વિશે શિક્ષિત કરવાનો પણ છે.

Related posts

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું શુક્રવારે દમણના ભામટીમાં અને શનિવારે નરોલી ખાતે થનારૂં જાહેર સન્‍માન

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

Leave a Comment