March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 17
વેસ્‍ટર્ન રેલ્‍વે દ્વારા પેસેન્‍જરોને લલચાવતા અને તેમની પાસેથી વધુ પડતું કમિશન વસૂલતા ટાઉટ સામે સ્‍પેશિયલ ડ્રાઇવ અને દરોડા પાડવામાં આવે છે. આવા દલાલો સામે કડક પગલાં લેતા, પヘમિ રેલ્‍વેના રેલવે પ્રોટેક્‍શન ફોર્સ (આરપીએફ) તમામ છ વિભાગોમાં નિયમિત સ્‍પેશિયલ ડ્રાઇવ ચલાવે છે. આના પરિણામે આશરે રૂા. 2.15 કરોડની કિંમતની ઇ-ટિકિટ અને મુસાફરી-કમ-રિઝર્વેશન ટિકિટો જપ્ત કરવામાં આવી હતી.
પヘમિ રેલવેના મુખ્‍ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રિલીઝ મુજબ, પヘમિ રેલવેના આરપીએફએ આરપીએફ ક્રાઈમ બ્રાન્‍ચ, સાયબર સેલ અને ડિવિઝનની ડિટેક્‍ટિવ વિંગના સમર્પિત સ્‍ટાફની વિશેષ ટીમોની રચના કરી છે. એવું જોવામાં આવ્‍યું હતું કે દલાલો કેટલાક અધિકળત આઈઆરસીટીસી એજન્‍ટો સહિત અનેક નકલી આઈડીનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરાવતા હતા, જેમણે ટિકિટ ઈશ્‍યુ કરવા માટે નકલી આઈડી અને ગેરકાયદેસર સોફ્‌ટવેરનો ઉપયોગ કર્યો હતો, જેનાથી મુસાફરોપાસેથી વધારાના પૈસા પડાવી લીધા હતા.
2021માં, પヘમિ રેલવેના રેલવે પ્રોટેક્‍શન ફોર્સે દલાલીના 684 કેસોમાં 734 લોકોની ધરપકડ કરી હતી અને લગભગ રૂા. કિંમતની કુલ 15,263 ટિકિટો જપ્ત કરી હતી. જે 2.15 કરોડ હતી. ઠાકુરેએ પણ માહિતી આપી હતી કે ટાઉટની ધરપકડ અને કાર્યવાહી માટે આવા નિયમિત અભિયાનો ઉપરાંત, આરપીએફ, પヘમિ રેલ્‍વેએ લોકોને ગેરકાયદેસર ટાઉટ પાસેથી ટિકિટ ખરીદવાથી નિરુત્‍સાહિત કરવા અને સાવચેત કરવા માટે ઘણી જાગળતિ ઝુંબેશ પણ હાથ ધરી છે. આ ઝુંબેશનો હેતુ મુસાફરોને રેલવે અધિનિયમની કલમ 143 ની કાયદાકીય જોગવાઈઓ અને અનધિકળત ટોટ પાસેથી ટિકિટ/ઈ-ટિકિટ ખરીદવાના પરિણામો વિશે શિક્ષિત કરવાનો પણ છે.

Related posts

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

vartmanpravah

ખેલો ઇન્‍ડિયા રાઇઝિંગ ટેલેન્‍ટ આઇડેન્‍ટિફિકેશન હેઠળ યુવાનો માટે  દમણમાં રમત-ગમત પ્રતિભા મૂલ્‍યાંકન કાર્યક્રમ સંપન્નઃ પ્રદેશના 1022 યુવાનોએ લીધેલો ભાગ

vartmanpravah

નવસારી જિલ્લામાં આયુષ્‍માન કાર્ડમાં આવતી ભૂલો આયુષ્‍માન એપમાં સુધારો ન થતાં લાભાર્થીઓને લાભથી વંચિત રહેવાની નોબત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

માર્ચ એન્‍ડિંગમાં વાપી નગરપાલિકામાં વેરા વસુલાત અભિયાન તેજ : રવિવારે પણ કચેરી ચાલુ રહી

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

Leave a Comment