January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના રાનવેરી કલ્લાથી મળી આવેલ મૃત દીપડીના સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામના ખુટાડીયા ફળીયા તરફ જતા રસ્‍તાની બાજુમાં સરૂબેન મનુભાઈ પટેલના ખેતર પાસે દીપડી (માદા) (ઉ.વ.આ-2) જે મૃત હાલતમાં મળી આવતા જે અંગેની જાણ ગામના સરપંચ નિરવભાઈ પટેલે કરતા વનવિભાગના આરએફઓ-આકાશભાઈ પડશાલા સહિતનો સ્‍ટાફ સ્‍થળ ઉપર પહોંચી મૃત દીપડીનો કબ્‍જો લઈ એફએસએલ પરીક્ષણ માટે વિશેરા લઈ પશુ ચિકિત્‍સક પાસેપીએમ કરાવી સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરવામાં આવ્‍યો હતો. જે બનાવમાં ચીખલી વન વિભાગ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સ્‍થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બનાવના સ્‍થળે સાગના ઝાડ ઉપર દીપડી મોરલાનો શિકાર કરવા માટે ચડી હતી. અને ત્‍યાંથી ઝાડ ને અડીને પસાર થતી વીજ લાઈન અડી જતા વીજ કરંટ લાગવાથી દીપડીનું મોત થયું હતું. ત્‍યારે એફએસએલ અને પીએમ રિપોર્ટ આવ્‍યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.
રાનવેરી કલ્લા ગામના સરપંચ નીરવભાઈ પટેલના જણાવ્‍યાનુસાર સરૂબેન મનુભાઈ પટેલના ખેતર પાસે રસ્‍તાની બાજુમાંથી ઝાડ આવેલ છે અને ત્‍યાંથી વીજ કંપનીનો વિજપોલ હોય ત્‍યારે દીપડી ઝાડ ઉપર બેસેલ મોરનો શિકાર કરવા માટે ચડતા વીજ કરંટ લાગતા મોત થયું હોવાનું લાગી રહ્યું છે.
પશુ ચિકિત્‍સાક ડો.હિતેશભાઈના જણાવ્‍યાનુસાર મૃત માદા દીપડીનું પીએમ કરતા પ્રાથમિક તબક્કે ઝાડ ઉપર શિકારની શોધમાં ચડેલ હોય અને વીજ કરંટ લાગતા જેનું મોત નીપજ્‍યું હોવાનું લાગી રહ્યું છે.

Related posts

રાજયના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની શાળાની કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી અંબા માતા મંદિરે સદભાવના સંત સંમેલન યોજાયું

vartmanpravah

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

ઉમરગામ ભાજપા સંગઠનના તાલુકા અને પાલિકાના પ્રમુખોની વરણી માટેની હાથ ધરવામાં આવેલી સેન્‍સ પ્રક્રિયા

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્‍ટરવ્‍યુની તૈયારી હેતુ ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

Leave a Comment