October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના રાનવેરી કલ્લાથી મળી આવેલ મૃત દીપડીના સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામના ખુટાડીયા ફળીયા તરફ જતા રસ્‍તાની બાજુમાં સરૂબેન મનુભાઈ પટેલના ખેતર પાસે દીપડી (માદા) (ઉ.વ.આ-2) જે મૃત હાલતમાં મળી આવતા જે અંગેની જાણ ગામના સરપંચ નિરવભાઈ પટેલે કરતા વનવિભાગના આરએફઓ-આકાશભાઈ પડશાલા સહિતનો સ્‍ટાફ સ્‍થળ ઉપર પહોંચી મૃત દીપડીનો કબ્‍જો લઈ એફએસએલ પરીક્ષણ માટે વિશેરા લઈ પશુ ચિકિત્‍સક પાસેપીએમ કરાવી સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરવામાં આવ્‍યો હતો. જે બનાવમાં ચીખલી વન વિભાગ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સ્‍થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બનાવના સ્‍થળે સાગના ઝાડ ઉપર દીપડી મોરલાનો શિકાર કરવા માટે ચડી હતી. અને ત્‍યાંથી ઝાડ ને અડીને પસાર થતી વીજ લાઈન અડી જતા વીજ કરંટ લાગવાથી દીપડીનું મોત થયું હતું. ત્‍યારે એફએસએલ અને પીએમ રિપોર્ટ આવ્‍યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.
રાનવેરી કલ્લા ગામના સરપંચ નીરવભાઈ પટેલના જણાવ્‍યાનુસાર સરૂબેન મનુભાઈ પટેલના ખેતર પાસે રસ્‍તાની બાજુમાંથી ઝાડ આવેલ છે અને ત્‍યાંથી વીજ કંપનીનો વિજપોલ હોય ત્‍યારે દીપડી ઝાડ ઉપર બેસેલ મોરનો શિકાર કરવા માટે ચડતા વીજ કરંટ લાગતા મોત થયું હોવાનું લાગી રહ્યું છે.
પશુ ચિકિત્‍સાક ડો.હિતેશભાઈના જણાવ્‍યાનુસાર મૃત માદા દીપડીનું પીએમ કરતા પ્રાથમિક તબક્કે ઝાડ ઉપર શિકારની શોધમાં ચડેલ હોય અને વીજ કરંટ લાગતા જેનું મોત નીપજ્‍યું હોવાનું લાગી રહ્યું છે.

Related posts

ગેરકાયદેસર દારૂનો જથ્‍થો પકડવા ગયેલ દાનહ એક્‍સાઈઝની ટીમ પર બુટલેગરોનો હુમલો

vartmanpravah

દાનહની અલગ અલગ પંચાયતોમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

લોકસભાની 2004ની ચૂંટણીમાં દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર (સ્‍વ.) અનિલભાઈ પટેલના પ્રચાર માટે આવ્‍યા હતા નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

ધરમપુર વિલ્‍સન હિલ નજીક ડીકમ્‍પોઝ હાલતમાં મળેલી યુવતીની લાશ પ્રકરણમાં હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

Leave a Comment