March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી સી.એચ.સી.ખાતે ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ : કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી તૈયારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17
પારડી સીએચસી ખાતે 25 જેટલા બેડોને એક સાથે ઓક્‍સિજન મળી રહે એવા ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ પારડીના ધારાસભ્‍ય અને ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો .
આપણે સૌ જાણીએ જ છે કે કોરોનાની છેલ્લી બે લહેર દરમિયાન અનેક લોકોએ ઓક્‍સિજન વિના જીવ ગુમાવ્‍યા હતા અનેબહારથી ખૂબ મોંઘા ભાવે પણ ઓક્‍સિજન મેળવવા લોકો ઝઝૂમી રહ્યા હતા. ત્‍યારે હાલમાં ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી હોય ગુજરાત સરકાર કોઈપણ અનિચ્‍છનીય બનાવ નહીં બને અને ગઈ લહેરની જેમ કોઈને ઓક્‍સિજન વિના જાન ગુમાવ્‍યા નહીં પડે તેને ધ્‍યાનમાં લઇ દરેક તાલુકામાં ધારાસભ્‍યશ્રીના ફંડમાંથી ઓક્‍સિજન પ્‍લાન્‍ટ ની શરૂઆત કરી રહી છે.
એવી જ રીતે પારડી સી એચ સી સેન્‍ટર ખાતે 25 જેટલા લોકોને એક સાથે ઓક્‍સિજન મળી રહે એવા ઉમદા હેતુને લઈ આ પ્‍લાન્‍ટ લોકો માટે પારડીના ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના કેન્‍દ્ર મંત્રી શ્રી કનુભાઈ દેસાઇના હસ્‍તે ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો .ગઈકાલે સાંજે પધારેલ શ્રી કનુભાઈ દેસાઈનું સી.એચ.સી.ના મુખ્‍ય ડોક્‍ટર સિંઘ દ્વારા પુષ્‍પગુચ્‍છથી એમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ દિપ પ્રાગટય કરી સૌ મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
ધારાસભ્‍ય સાથે પધારેલ વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, પારડી નગરપાલિકાના પ્રમુખ એવા શ્રી હસુભાઇ રાઠોડ તથા સરદાર ભિલાડવાળા બેંકના પૂર્વ ચેરમેન એવા શ્રી શરદભાઈ દેસાઈ અને શ્રી હર્ષદભાઈ દેસાઈ, જિલ્લા આરોગ્‍ય અધિકારી ડોકટર શ્રી અનિલ પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર આ તમામનુંસ્‍વાગત ડોક્‍ટર વિરેન્‍દ્ર ગરાઈ, ડોક્‍ટર સવિતાબેન, ડોક્‍ટર તરુણ રાઠોડ, ડોક્‍ટર મયુર પટેલ, ડોક્‍ટર અવની પટેલ, ડોક્‍ટર ધારા પટેલ વિગેરેઓના હસ્‍તે આ તમામ મહેમાનનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં નગરના અગ્રણી એવા શ્રી રાજેશભાઈ રાણા, શ્રી કાંતિભાઈ પટેલ , શ્રી અરવિંદભાઈ સઘાડિયા, શ્રી નિલેશભાઈ ભંડારી, શ્રી સંજયભાઈ બારીયા, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી દેવેનભાઈ શાહ, પુષ્‍પાબેન પારડીવાળા, વનીતાબેન કટારીયા, શ્રી કેતનભાઈ પ્રજાપતિ વિગેરેઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતી કલાકાર એવા શ્રી પ્રીતેશ ભરુચા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

vartmanpravah

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજનાં વિદ્યાર્થીઓ માટે કચીગામ-દમણ ખાતે આવેલી મેડલે ફાર્માસ્‍યુટિકલ્‍સ લિમિટેડ ખાતે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાની કલીયારી, ફડવેલ અને માણેકપોર ગ્રામ પંચાયતોની કચેરીઓ જર્જરિત બનતા લાંબા સમયથી કચેરીનો કારભાર અન્‍ય મકાનોમાં ચલાવવાની નોબત

vartmanpravah

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah

ચીખલીના રાનવેરી કલ્લાથી મળી આવેલ મૃત દીપડીના સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

Leave a Comment