April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17
નવસારી જિલ્લાની જિલ્લા નિરીક્ષક જમીન દફતર(ડીઆઈએલઆર) કચેરીના અંધેર વહીવટ વચ્‍ચે વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટેની અરજીને સમય વિતવા છતાં પણ માપણી ન થતાં અરજદારોએ ધક્કા ખાવાની નોબત આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોએ પોતાની ખેતરની હદ માપણી માટે ઓન લાઇન અરજી કરી ઇપેમેન્‍ટ દ્વારા જરૂરી ફી સરકારી તિજોરીમાં ભરવાની હોય છે અને ફી ભરાયા બાદ માપણીની તારીખ અને સર્વેયરના નામ સાથેની વિગત અરજદારોને તેના ઇમેઇલ આઇડી કે ટેક્‍સ મેસેજ દ્વારા જાણ કરાતી હોય છે.
પરંતુ ચીખલી તાલુકામાં જમીનની હદ માપણી માટેની અનેક અરજીઓ લાંબા સમયથી પેન્‍ડિંગ હોવાનું જાણવા મળેલ છે. વંકાલ ગ્રામ પંચાયત દ્વારા ખાતા નંબર 920 વાળી સરકારી તળાવની તત્‍કાલ હદ માપણી માટે ગત તા.28-ડિસેમ્‍બર ના રોજ ઇ પેમેન્‍ટ થી 8,800/- રૂપિયાની રકમની ભરપાઈ કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી માપણી માટેની તારીખ જ ફળવાઈ નથી. ઘેજ ગામના ભરડા-નાયકીવાડના ખેડૂત ખાતેદાર દ્વારા તેમની ચરી ગામમાં આવેલ ખેતરની માપણી માટે ઓનલાઇન અરજી અને ઇ-પેમેન્‍ટ થી રકમ ભર્યા બાદ માપણી માટે 27/12/2021ની તારીખ ઈ-મેઇલ મારફતે આપવામાં આવી હતી.
ડીઆઈએલઆર કચેરીમાંથી કોઈ ફરકયું જ ન હતું. અરજદારે જાણ કર્યા બાદ પણ માપણી માટેનીનવી તારીખ આપવામાં આવી નથી. અરજદારોએ માપણી માટેની અરજી કરી નાણાં ભરી દીધા બાદ પણ માપણી થતી નથી અને તાલુકામાં અનેક માપણીની અરજીઓ પેન્‍ડિંગ હોવાનું પણ જાણવા મળેલ છે.
નવસારીની ડીઆઈએલઆર કચેરીનો અંધેર વહીવટ બહાર આવવા પામ્‍યો છે. કચેરીના મુખ્‍ય વડા જમીન નિરીક્ષકની જગ્‍યા ખાલી થયા બાદ જાન્‍યુઆરી માસના 12-દિવસ સુધી તો કોઈને ચાર્જ જ સોપાયો નહી હોવાની માહિતી સાંપડી હતી. ત્‍યારે આટલા દિવસો કચેરીનો વહીવટ રામભરોસે જ હતો અને કચેરીની હાલત ધણી વિનાના ઢોર જેવી થવા પામી હતી.

ડીઆઈએલઆર કચેરીના હેડ કવાટર આસિસ્‍ટન્‍ટ સુમનભાઈના જણાવ્‍યાનુસાર 1 થી 12 તારીખ દરમ્‍યાન કોઈ પાસે ચાર્જ ન હતો. હવે સુરતના શ્રી અનંતભાઈ પટેલને ચાર્જ સોંપવામાં આવ્‍યો છે.તેમની પાસે અન્‍ય બે ત્રણ ચાર્જ છે ત્‍યારે સાહેબના લોગીનથી કામગીરી કરવાની હોય સાહેબ આવ્‍યા બાદ માપણી માટે અરજદારોને તારીખ આપવામાં આવશે.

Related posts

સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ત્રિ-દિવસીય ‘‘પી.એમ. વિશ્વકર્મા” પ્રદર્શનીનો શુભારંભ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાની ‘દબાણ હટાવો ઝુંબેશ’ સંદર્ભે દાનહ વેપારી એસોસિએશને રેલી કાઢી કલેક્‍ટર ભાનુ પ્રભાને આપેલું આવેદનપત્ર

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

સિમલા ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં ચિંતન-મનન: દેશમાં અનુ.જાતિ સમુદાયના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ભાજપ દ્વારા થનારા ઠોસ પ્રયાસો

vartmanpravah

લાયન્‍સ ઈન્‍ટરનેશનલની સંસ્‍થાઓમાં વાપીના ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓ

vartmanpravah

લેટર બોંબ બાદ દાંડી સહિત વલસાડ કાંઠા વિસ્‍તારના ગામોમાં ધવલ પટેલના સમર્થનમાં બેનરો લાગ્‍યા

vartmanpravah

Leave a Comment