Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30
દાદરા નગર હવેલીના સુરંગી ગામે આવેલ સનાતન ટેક્ષટાઇલ લીમીટેડ કંપની દ્વારા વર્કરો સાથે અમાનવીય વ્‍યવહાર અંગે લેબર વિભાગને લેખિત રજૂઆત કરવામા આવી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર સનાતન કંપની મેનેજમેન્‍ટ દ્વારા આદિવાસી વર્કરો સાથે છેલ્લા કેટલાક દિવસથી ભેદભાવ કરવામા આવી રહ્યો છે અને અમારા અધિકારનું હનન કરવામા આવી રહ્યુ છે. આદિવાસી સમાજના સેંકડો વર્કરો સાથે મેનેજમેન્‍ટ દ્વારા અમાનવીય વ્‍યવહાર, ગાળો અને પ્રતાડિત કરી નોકરીમાંથી કાઢી નાંખવાની ધમકી આપવામા આવી રહી છે અને કેટલાક સાથીઓ ઉપર જુઠા કેસ કરવામા આવ્‍યા છે.
કેટલાક દિવસોથી વર્કરો સાથે નાની નાની વાતોમાં પોલીસ બોલાવી ધમકાવવામા આવી રહ્યા છે અને વર્કરોને માનસિક રીતે હેરાન કરવામા આવી રહ્યા છે.જેથી અંદાજીત બે હજાર વર્કરો કંપની બહાર નીકળી ગયા હતા. તે સમયે પોલીસની ત્રણ ગાડીઓ કંપની પર આવી ધમકાવવામા આવ્‍યા અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવમા આવી રહી છે. આ સમસ્‍યા અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરી યોગ્‍ય ઉકેલ લાવવા માંગણી કરી હતી.

Related posts

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે

vartmanpravah

ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્‍થળે ‘‘મનુષ્‍ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે

vartmanpravah

આજે વાપી નગરપાલિકા દ્વારા પાણી સપ્‍લાય બંધ રહેશે: ભર ઉનાળે પાણીની બુમો વચ્‍ચે લેવાયેલ નિર્ણયથી લોકરોષ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્‍ધિ

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભામટી તળાવ ફળિયા ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment