Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

કોઈની લાગણી ન દુભાય તે રીતે ધાર્મિક તહેવારો ઉજવવા અનુરોધ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્‍યો હતો.
શ્રી રામ નવમી, શ્રી હનુમાન જયંતિ અને રમઝાન માસ ને લઈને પોલીસ દ્વારા પોલીસ મથકમાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ કે.જે. ચૌધરી, પીએસઆઈ જે.બી. જાદવ સહિતના અધિકારીઓ દ્વારા બેઠકમાં ઉપસ્‍થિત હિન્‍દૂ અને મુસ્‍લિમ સમાજના આગેવાનોને તમામ ધાર્મિક તહેવારો કોમી એખલાસ વચ્‍ચે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે રીતે અને કોઈની લાગણી ન દુભાઈ તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત રામ જન્‍મોત્‍સવની ઉજવણી દરમ્‍યાન પૂરતો બંદોબસ્‍ત ગોઠવી તમામપ્રકારનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવ્‍યું હતું. બેઠકમાં નરેન્‍દ્રભાઈ ભટ્ટ, હર્ષદભાઈ પંડ્‍યા, નૈનેશ કાયસ્‍થ ઉપરાંત મકબુલભાઈ દભાડ, મુનાફભાઈ શેખ, મહમદભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
ચીખલીમાં રામ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ અને તાલુકા ભાજપ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્‍મોત્‍સવ નિમિતે વાણિયાવાડ સ્‍થિત શ્રી રામજી મંદિરે થી વિશાળ શોભાયાત્રા નીકળશે અને બપોરે 12 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. સમરોલીમાં સાંઈબાબાના મંદિરે પણ પાલખીયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોના સથવારે રામનવમીની ઉજવણી કરવામાં આવશે.

Related posts

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah

છત્રપતિ શિવાજી મહારાજના જન્‍મોત્‍સવની ઉજવણીના ભાગરૂપે દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણ ખાતે ‘મહારાષ્‍ટ્ર પ્રીમિયર લીગ’ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્‍યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્‍યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના

vartmanpravah

Leave a Comment