Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

કોઈની લાગણી ન દુભાય તે રીતે ધાર્મિક તહેવારો ઉજવવા અનુરોધ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્‍યો હતો.
શ્રી રામ નવમી, શ્રી હનુમાન જયંતિ અને રમઝાન માસ ને લઈને પોલીસ દ્વારા પોલીસ મથકમાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ કે.જે. ચૌધરી, પીએસઆઈ જે.બી. જાદવ સહિતના અધિકારીઓ દ્વારા બેઠકમાં ઉપસ્‍થિત હિન્‍દૂ અને મુસ્‍લિમ સમાજના આગેવાનોને તમામ ધાર્મિક તહેવારો કોમી એખલાસ વચ્‍ચે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે રીતે અને કોઈની લાગણી ન દુભાઈ તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત રામ જન્‍મોત્‍સવની ઉજવણી દરમ્‍યાન પૂરતો બંદોબસ્‍ત ગોઠવી તમામપ્રકારનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવ્‍યું હતું. બેઠકમાં નરેન્‍દ્રભાઈ ભટ્ટ, હર્ષદભાઈ પંડ્‍યા, નૈનેશ કાયસ્‍થ ઉપરાંત મકબુલભાઈ દભાડ, મુનાફભાઈ શેખ, મહમદભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
ચીખલીમાં રામ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ અને તાલુકા ભાજપ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્‍મોત્‍સવ નિમિતે વાણિયાવાડ સ્‍થિત શ્રી રામજી મંદિરે થી વિશાળ શોભાયાત્રા નીકળશે અને બપોરે 12 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. સમરોલીમાં સાંઈબાબાના મંદિરે પણ પાલખીયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોના સથવારે રામનવમીની ઉજવણી કરવામાં આવશે.

Related posts

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

શાળા પ્રવેશોત્‍સવ અને ઉત્‍કૃષ્‍ટ શૈક્ષણિક પર્યાવરણની અસરથી સંઘપ્રદેશમાં હવે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળી રહેલા વિદ્યાર્થીઓઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોવિડ- ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને સુંદર પ્રતિસાદ: ૯૬૪૮ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ચંદ્રયાન-3ના લાઈવ સ્‍ટ્રીમિંગ નિહાળવાની કરાયેલી વિશેષ વ્‍યવસ્‍થા

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત સ્‍કૂલ ફળિયા મુકામે રાત્રી ચોતરાસભા (ચૌપાલ)યોજાઈ

vartmanpravah

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

Leave a Comment