Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30
દાદરા નગર હવેલીના સુરંગી ગામે આવેલ સનાતન ટેક્ષટાઇલ લીમીટેડ કંપની દ્વારા વર્કરો સાથે અમાનવીય વ્‍યવહાર અંગે લેબર વિભાગને લેખિત રજૂઆત કરવામા આવી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર સનાતન કંપની મેનેજમેન્‍ટ દ્વારા આદિવાસી વર્કરો સાથે છેલ્લા કેટલાક દિવસથી ભેદભાવ કરવામા આવી રહ્યો છે અને અમારા અધિકારનું હનન કરવામા આવી રહ્યુ છે. આદિવાસી સમાજના સેંકડો વર્કરો સાથે મેનેજમેન્‍ટ દ્વારા અમાનવીય વ્‍યવહાર, ગાળો અને પ્રતાડિત કરી નોકરીમાંથી કાઢી નાંખવાની ધમકી આપવામા આવી રહી છે અને કેટલાક સાથીઓ ઉપર જુઠા કેસ કરવામા આવ્‍યા છે.
કેટલાક દિવસોથી વર્કરો સાથે નાની નાની વાતોમાં પોલીસ બોલાવી ધમકાવવામા આવી રહ્યા છે અને વર્કરોને માનસિક રીતે હેરાન કરવામા આવી રહ્યા છે.જેથી અંદાજીત બે હજાર વર્કરો કંપની બહાર નીકળી ગયા હતા. તે સમયે પોલીસની ત્રણ ગાડીઓ કંપની પર આવી ધમકાવવામા આવ્‍યા અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવમા આવી રહી છે. આ સમસ્‍યા અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરી યોગ્‍ય ઉકેલ લાવવા માંગણી કરી હતી.

Related posts

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકા બાર કાઉન્‍સિલ વકીલ મંડળના નવા પ્રમુખ તરીકે સંદીપ પટેલ જ્‍યારે સેક્રેટરી તરીકે દીપક પાઠકની કરાયેલી વરણી

vartmanpravah

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉપરાષ્‍ટ્રપતિ અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ જગદીપ ધનખડની કરાયેલી મિમિક્રીના વિરોધમાં દીવ જિલ્લા ભાજપે ટીએમસી સાંસદ કલ્‍યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરૂધ્‍ધ યોજેલા ધરણા પ્રદર્શન

vartmanpravah

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

vartmanpravah

Leave a Comment