April 18, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30
દાદરા નગર હવેલીના સુરંગી ગામે આવેલ સનાતન ટેક્ષટાઇલ લીમીટેડ કંપની દ્વારા વર્કરો સાથે અમાનવીય વ્‍યવહાર અંગે લેબર વિભાગને લેખિત રજૂઆત કરવામા આવી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર સનાતન કંપની મેનેજમેન્‍ટ દ્વારા આદિવાસી વર્કરો સાથે છેલ્લા કેટલાક દિવસથી ભેદભાવ કરવામા આવી રહ્યો છે અને અમારા અધિકારનું હનન કરવામા આવી રહ્યુ છે. આદિવાસી સમાજના સેંકડો વર્કરો સાથે મેનેજમેન્‍ટ દ્વારા અમાનવીય વ્‍યવહાર, ગાળો અને પ્રતાડિત કરી નોકરીમાંથી કાઢી નાંખવાની ધમકી આપવામા આવી રહી છે અને કેટલાક સાથીઓ ઉપર જુઠા કેસ કરવામા આવ્‍યા છે.
કેટલાક દિવસોથી વર્કરો સાથે નાની નાની વાતોમાં પોલીસ બોલાવી ધમકાવવામા આવી રહ્યા છે અને વર્કરોને માનસિક રીતે હેરાન કરવામા આવી રહ્યા છે.જેથી અંદાજીત બે હજાર વર્કરો કંપની બહાર નીકળી ગયા હતા. તે સમયે પોલીસની ત્રણ ગાડીઓ કંપની પર આવી ધમકાવવામા આવ્‍યા અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવમા આવી રહી છે. આ સમસ્‍યા અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરી યોગ્‍ય ઉકેલ લાવવા માંગણી કરી હતી.

Related posts

ચીખલી તાલુકામાં ચોરટાઓ બેફામ બન્‍યા: હોન્‍ડ ગામે પરિવારના સભ્‍યો ઘરમાં સૂતા રહ્યા અને તસ્‍કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા.1.14 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા ઉપર યુવાનની કરપિણ હત્‍યાનો ભેદ ઉકેલાયો : કુહાડીથી ઘા કરનાર મુખ્‍ય આરોપી હજુ ફરાર

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

કપરાડા તાલુકામાં મોટા ચેકડેમ બનાવવાની યોજના અમલમાં આવશે : ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી

vartmanpravah

Leave a Comment