November 2, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે : પૂર્વ સાંસદ ગોપાલ દાદા

નદીઓનું પાણી દરિયામાં જતુ અટકાવવા દમણગંગા નદી સાથે તાપી અને નર્મદા નદી જોડવાની બજેટમાં કરવામાં આવેલ ઘોષણાથી ગુજરાત અને દમણ-દાદરા નગર હવેલીમાં પણ પાણીની અછત દુર થશે


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલે(દાદા) બજેટને આવકારતા જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશના વિકાસની સાથે વિશ્વમાં ભારતે આગવું સ્‍થાન ઉભુ કરેલ છે. આજરોજ દેશના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે દેશના તમામ વર્ગના લોકોને ધ્‍યાનમાં રાખીને સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ આપેલ હોવાનો મત વ્‍યક્‍ત કર્યો હતો.
દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલદાદાએજણાવ્‍યું હતું કે, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ત્‍યારે આજરોજ રજૂ થયેલ બજેટમાં પ્રાકૃતિક ખેતી જૈવિક અને ઓર્ગેનિક ખેતી વિકાસને પ્રોત્‍સાહિત કરવાના તથા ખેડૂતોને ડિજીટલ સર્વિસ અને એગ્રી યુનિવર્સિટીના પ્રોત્‍સાહન જેવી બાબતોનો કરેલો સમાવેશ નવા ભારતના નિર્માણમાં એક ઠોસ કદમ હોવાની લાગણી વ્‍યક્‍ત કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાએ જણાવ્‍યું હતું કે, નદીઓનું પાણી દરિયામાં જતુ અટકાવવા દમણગંગા નદી સાથે તાપી અને નર્મદા નદી જોડવાની બજેટમાં કરવામાં આવેલ ઘોષણાથી ગુજરાત અને દમણ-દાદરા નગર હવેલીમાં પણ પાણીની અછત દુર થશે.

Related posts

દમણની સાર્વજનિક શાળામાં આયોજીત બે દિવસીય ખેલ મહોત્‍સવનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણના કલેક્‍ટરાલયમાં યોજાઈ આધાર મોનીટરીંગ કમિટીની બેઠકઃ આધાર અપડેટ હશે તો જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે

vartmanpravah

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદની બીજી ઈનિંગમાં 24 કલાક દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ

vartmanpravah

Leave a Comment