Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

મોટી દમણના ઝરી ખાતે રસ્‍તાના વિસ્‍તૃતિકરણ દરમિયાન સારથી બસ સેવા માટે લાખો રૂપિયાના ખર્ચે નિર્મિત બસ સ્‍ટેન્‍ડને માવજતથી ઉખાડવાની જગ્‍યાએ બુલડોઝર-જેસીબી દ્વારા કરાયેલું નિકંદન

(તસવીર-અહેવાલ : રાહુલ ધોડી)
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
મોટી દમણના ઝરી ખાતે ઓઆઈડીસી દ્વારા સંચાલિત સારથી બસ સેવા માટે બનેલા બસ સ્‍ટેન્‍ડને ઉખાડી ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઝરી ખાતે થઈ રહેલા રસ્‍તાના વિસ્‍તૃતિકરણ દરમિયાન આડે આવી રહેલા બસ સ્‍ટેન્‍ડને બુલડોઝર-જેસીબી દ્વારા જમીનદોસ્‍ત કરી ફરી ઉપયોગમાં નહી લેવાય તે પ્રકારે તેનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓઆઈડીસીના તત્‍કાલીન મેનેજીંગ ડાયરેક્‍ટર અને વિકાસ આયુક્‍ત શ્રી સંદીપ કુમારે દિલ્‍હીની તર્જ ઉપર સ્‍ટીલનો ઉપયોગ કરી સારથી બસ સેવાના બસ સ્‍ટેન્‍ડનું નિર્માણ કરાવ્‍યું હતું. આ બસ સ્‍ટેન્‍ડની કિંમત લગભગ લાખો રૂપિયા હોવાનું અંદાજવામાં આવે છે. ત્‍યારે રસ્‍તાના વિસ્‍તૃતિકરણ દરમિયાન આ બસ સ્‍ટેન્‍ડને માવજતથી ઉખાડવામાં આવ્‍યું હોત તો તે ભવિષ્‍યમાં અન્‍ય જગ્‍યાએઉપયોગમાં પણ આવી શકવાની સંભાવના હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રશાસનમાં એક-એક રૂપિયાની કસર કરવામાં માને છે. તેની સામે લાખો રૂપિયાના ખર્ચે બનેલ બસ સ્‍ટેન્‍ડને ઉખાડી ફેંકવાની શરૂ થયેલ રમત સામે પ્રશાસન સમીક્ષા કરે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

‘‘વીર બાળ દિવસ”ના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા ત્રણેય જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ૩૬ નમૂનાની ચકાસણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

vartmanpravah

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

Leave a Comment