October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત ભારત સ્‍કાઉટ ગાઈડની ટીમ રાજસ્‍થાનના પાલીમાં યોજાનારા કાર્યક્રમમાં પ્રતિનિધિત્‍વ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના ઉપાધ્‍યક્ષ ડો. અપૂર્વ શર્માએ ગલોન્‍ડાના 8 સ્‍કાઉટ ગાઈડને 18મી રાષ્ટ્રીય જમ્‍બુરીમાં સામેલ થવા પર દરેક સ્‍કાઉટ ગાઈડ અને લીડર્સને શુભકામના આપી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી શ્રી જયેશ ભંડારીએ જણાવ્‍યું હતું કે દાનહ અને દમણ-દીવના કુલ 50 સભ્‍યો 4થી જાન્‍યુઆરીથી 10 જાન્‍યુઆરી, 2023 સુધી પાલી-રાજસ્‍થાન ખાતે યાોજાનારા કાર્યક્રમમાં ભાગ લઈ સફળતા મેળવશે. જેમાંમાર્ચપાસ્‍ટ, કલર પાર્ટી, ફૂડ પ્‍લાઝા, ટેન્‍ટ બનાવવા, ગેજેટ બનાવવા, પ્રદર્શની, પીજન શો અને સાંસ્‍કૃતિક સ્‍પર્ધામાં ભાગ લેશે.
રાજસ્‍થાનના પાલી ખાતે રવાના થનારા સ્‍કાઉટોને દાનહના ઉપ કલેક્‍ટર અને સ્‍કાઉટ અધ્‍યક્ષ સુશ્રી ચાર્મી પારેખે મળી શુભકામના આપી હતી અને પ્રદેશનું નામ રોશન કરવા પ્રેરણા પુરી પાડી હતી.
આ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્‍યોમાંથી અને 7 વિદેશોમાંથી આવેલ કુલ 35 હજાર સ્‍કાઉટ ગાઈડ સદસ્‍યો ઉપસ્‍થિત રહેશે. જેમાં દરેક પોતપોતાના પ્રદેશની વેશભૂષા, ખાનપાન, પ્રદર્શની કલાકૃતિ અને સંસ્‍કૃતિનું અદાન-પ્રદાન કરશે. આ શિબિરનું સંચાલન અને નેતૃત્‍વ દાનહ સ્‍કાઉટ ગાઈડના સચિવ શર્મિષ્‍ઠા દેસાઈ, સેલવાસ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ શ્રી આલોકકુમાર ઝા, ગાઈડ રૂબીના સૈયદ, દીવ જિલ્લા આયોજક આયુક્‍ત સ્‍કાઉટ શ્રી વૈભવ સિંહ, જિલ્લા પંચાયત ગલોન્‍ડા સ્‍કાઉટ માસ્‍ટર શ્રી નેહલ કિયારા, શ્રી અજય હરિજન રલેવમ અને અંજલિ સેન કરશે.

Related posts

દાનહ અથાલ ગામે અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે યુ.પી.ના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍ય નાથ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં દમણના કચીગામ કાછલ ફળિયા સહિત સમગ્ર વિસ્‍તાર ભક્‍તિમય બન્‍યો

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

Leave a Comment