(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
દાદરા નગર હવેલીના ખેરડી ગામે ખાનવેલ આરડીસી અને મામલતદારની ઉપસ્થિતિમાં મહેસુલ વિભાગ દ્વારા શિબિરનુ આયોજન કરવામા આવશે.
ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ પ્રાથમિક મરાઠી શાળા ખેરડી ખાતે 19 ફેબ્રુઆરીના રોજ સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી શિબિરનુ આયોજન કરવામા આવશે. જેમા મહેસુલ વિભાગની અલગ અલગ સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના પ્રમાણપત્રની અરજીઓ, વારસાઇની પ્રક્રિયા, નકશા અને અન્ય મહેસુલ વિભાગને લગતા વિષયો બાબતે અરજીઓ સ્વીકારવામા આવશે.
આ સાથે અન્ય વિભાગોની અરજીઓ પણ સ્વીકારવામા આવશે ખેરડી, ડોલારા, કલા, કરજગામ અને પારઝાઈ ગામની જનતાને આ શિબિરનો મોટી સંખ્યામાંલાભ લેવા વિનંતી છે.
Previous post