October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

શ્રી જલારામ બાપા અને શ્રી ગોગા મહારાજની પણ નવી મૂર્તિઓની કરાયેલી સ્‍થાપના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના પાંચ અવતારની મૂર્તિઓની આજે ભવ્‍ય ઉત્‍સાહ ઉમંગ અને ભક્‍તિભાવથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અવસરે આમલી હનુમાનજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. આ શોભાયાત્રા શ્રી દત્ત મંદિરમાં પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ યજ્ઞ સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શ્રી દત્ત ભગવાનના પાંચ અવતારો શ્રીપાલશ્રી વલ્લભ, શ્રી વિજયદર્શન, શ્રી સ્‍વામી સમર્થ, શ્રી વાસુનંદ સરસ્‍વતી, શ્રી રંગ અવધૂત મહારાજ, શ્રી ગજાનન મહારાજ ઉપરાંત સંત શ્રી જલારામ બાપ્‍પા અને શ્રી ગોગા મહારાજની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ અવસરે મંદિરના ટ્રસ્‍ટીઓ, આયોજકો સહિત મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

vartmanpravah

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

દીવ સેન્‍ટ પોલ ચર્ચ ખાતે આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે ખ્રિસ્‍તી સમુદાયના લોકો દ્વારા પ્રોસેશન તથા પ્રાર્થના કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

vartmanpravah

વલસાડના વૃદ્ધોને હવે વિના મુલ્‍યે રોજીંદી દવા મળી રહેશે

vartmanpravah

વલસાડની કકવાડી પ્રા. શાળાને ગ્રીન સ્કૂલ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ અને 4 લાખનું ઈનામ એનાયત

vartmanpravah

Leave a Comment