April 19, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

શ્રી જલારામ બાપા અને શ્રી ગોગા મહારાજની પણ નવી મૂર્તિઓની કરાયેલી સ્‍થાપના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના પાંચ અવતારની મૂર્તિઓની આજે ભવ્‍ય ઉત્‍સાહ ઉમંગ અને ભક્‍તિભાવથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અવસરે આમલી હનુમાનજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. આ શોભાયાત્રા શ્રી દત્ત મંદિરમાં પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ યજ્ઞ સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શ્રી દત્ત ભગવાનના પાંચ અવતારો શ્રીપાલશ્રી વલ્લભ, શ્રી વિજયદર્શન, શ્રી સ્‍વામી સમર્થ, શ્રી વાસુનંદ સરસ્‍વતી, શ્રી રંગ અવધૂત મહારાજ, શ્રી ગજાનન મહારાજ ઉપરાંત સંત શ્રી જલારામ બાપ્‍પા અને શ્રી ગોગા મહારાજની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ અવસરે મંદિરના ટ્રસ્‍ટીઓ, આયોજકો સહિત મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

વાપીના ચલા ખાતે 123મી રંગ જયંતીની ભક્‍તિભાવ પૂર્વક કરોલી ઉજવણી

vartmanpravah

મચ્‍છી વિક્રેતાઓના ધંધામાં પણ થઈ રહેલો વધારો: વાપીથી સુરત વચ્‍ચેની દક્ષિણ ગુજરાતની એકમાત્ર ભવ્‍ય અને અદ્યતન મચ્‍છી માર્કેટ એટલે દમણની મચ્‍છી માર્કેટઃ પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

લોકસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ: દાનહ સહિત પ્રદેશની ગરમ બનેલી રાજનીતિઃ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ

vartmanpravah

વાપી રોટરી કલબના નવા પ્રમુખ તરીકે હેમાંગ નાયકની કરવામાં આવેલી વરણી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment