Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

શ્રી જલારામ બાપા અને શ્રી ગોગા મહારાજની પણ નવી મૂર્તિઓની કરાયેલી સ્‍થાપના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસના દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના પાંચ અવતારની મૂર્તિઓની આજે ભવ્‍ય ઉત્‍સાહ ઉમંગ અને ભક્‍તિભાવથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અવસરે આમલી હનુમાનજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. આ શોભાયાત્રા શ્રી દત્ત મંદિરમાં પૂર્ણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ યજ્ઞ સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શ્રી દત્ત ભગવાનના પાંચ અવતારો શ્રીપાલશ્રી વલ્લભ, શ્રી વિજયદર્શન, શ્રી સ્‍વામી સમર્થ, શ્રી વાસુનંદ સરસ્‍વતી, શ્રી રંગ અવધૂત મહારાજ, શ્રી ગજાનન મહારાજ ઉપરાંત સંત શ્રી જલારામ બાપ્‍પા અને શ્રી ગોગા મહારાજની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ અવસરે મંદિરના ટ્રસ્‍ટીઓ, આયોજકો સહિત મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા આયોજીત 5 દિવસીય સમર એડવેન્‍ચર કેમ્‍પનું મનાલી ખાતે સમાપન

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

તમિલનાડુ ખાતે ચાલી રહેલા ‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ થ્રીડીના બોક્‍સર સુમિતનો સેમિફાઈનલમાં પ્રવેશ

vartmanpravah

Leave a Comment