Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
દાદરા નગર હવેલીના ખેરડી ગામે ખાનવેલ આરડીસી અને મામલતદારની ઉપસ્‍થિતિમાં મહેસુલ વિભાગ દ્વારા શિબિરનુ આયોજન કરવામા આવશે.
ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ પ્રાથમિક મરાઠી શાળા ખેરડી ખાતે 19 ફેબ્રુઆરીના રોજ સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા સુધી શિબિરનુ આયોજન કરવામા આવશે. જેમા મહેસુલ વિભાગની અલગ અલગ સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના પ્રમાણપત્રની અરજીઓ, વારસાઇની પ્રક્રિયા, નકશા અને અન્‍ય મહેસુલ વિભાગને લગતા વિષયો બાબતે અરજીઓ સ્‍વીકારવામા આવશે.
આ સાથે અન્‍ય વિભાગોની અરજીઓ પણ સ્‍વીકારવામા આવશે ખેરડી, ડોલારા, કલા, કરજગામ અને પારઝાઈ ગામની જનતાને આ શિબિરનો મોટી સંખ્‍યામાંલાભ લેવા વિનંતી છે.

Related posts

દમણ વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત દામુભાઈ જી. ધોડી સેવા નિવૃત્ત થતાં તેમને આપવામાં આવેલું ભવ્‍ય વિદાયમાન

vartmanpravah

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

વલસાડને મહાનગર બનાવવા માટે કોર્પોરેટરોની કલેક્‍ટરને લેખિત રજૂઆત : 15 ગામો સમાવાય તો વસ્‍તી 3.08 લાખ થઈ જાય

vartmanpravah

વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્‍યકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવની ત્રણ વિદ્યાર્થીનીઓની ખો-ખો (ગર્લ્‍સ) સ્‍પર્ધામાં ગુજરાતટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં પસંદગી

vartmanpravah

Leave a Comment