Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
દાદરા નગર હવેલીના ખેરડી ગામે ખાનવેલ આરડીસી અને મામલતદારની ઉપસ્‍થિતિમાં મહેસુલ વિભાગ દ્વારા શિબિરનુ આયોજન કરવામા આવશે.
ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ પ્રાથમિક મરાઠી શાળા ખેરડી ખાતે 19 ફેબ્રુઆરીના રોજ સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા સુધી શિબિરનુ આયોજન કરવામા આવશે. જેમા મહેસુલ વિભાગની અલગ અલગ સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના પ્રમાણપત્રની અરજીઓ, વારસાઇની પ્રક્રિયા, નકશા અને અન્‍ય મહેસુલ વિભાગને લગતા વિષયો બાબતે અરજીઓ સ્‍વીકારવામા આવશે.
આ સાથે અન્‍ય વિભાગોની અરજીઓ પણ સ્‍વીકારવામા આવશે ખેરડી, ડોલારા, કલા, કરજગામ અને પારઝાઈ ગામની જનતાને આ શિબિરનો મોટી સંખ્‍યામાંલાભ લેવા વિનંતી છે.

Related posts

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સંઘપ્રદેશમાં લગભગ દરેક બુથમાં નિહાળાયું જીવંત પ્રસારણ

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં આંતર કોલેજ વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત પૂજા અરોરા દ્વારા ‘‘વિશિષ્ટ બાળકો” વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વાપી વિસ્‍તારના ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા

vartmanpravah

Leave a Comment