September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને પંચાયતીરાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઐતિહાસિક બનેલી ઉજવણી

દાનહની 20 ગ્રામ પંચાયતો, દમણની 14 અને દીવની 4 ગ્રામ પંચાયતોના સરપંચો, જિ.પં.સભ્‍યો, ગ્રા.પં.સભ્‍યો, ફાળવેલ શિક્ષકો અને સફાઈકર્મીઓનીસાવધાનીથી પ્રદેશના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવેલી ચમક

સુપરવાઈઝરી અધિકારીઓ અને નોડલ ઓફિસરોના માર્ગદર્શનથી સ્‍વચ્‍છતા દિવસની ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પ્રદેશના પંચાયતીરાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઉજવણી ભારે ઉત્‍સાહ સાથે આદતોને બદલવાના સંકલ્‍પ સાથે કરવામાં આવી હતી.
દાદરા નગર હવેલીની ર0, દમણની 14 અને દીવની 4 ગ્રામ પંચાયતોમાં સરપંચો, જિલ્લા પંચાયત સભ્‍યો, ગ્રામ પંચાયતના સભ્‍યો અને શિક્ષકોની ટીમ સાથે પ્રશાસન દ્વારા નિયુક્‍ત નોડલ ઓફિસર અને સુપરવાઈઝરી અધિકારીઓના નિરીક્ષણ હેઠળ ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઉજવણી પ્રદેશના ઈતિહાસમાં ખુબ જ ચિવટાઈથી કરવામાં આવી હતી.
સવારના 9:00 વાગ્‍યાથી ગ્રામ પંચાયતોના સરપંચ, જિ.પં.સભ્‍ય, પંચાયતના સભ્‍યો, શિક્ષકો તથા સુપરવાઈઝરી અધિકારી અને નોડલ ઓફિસરના સાથે સફાઈ ઉપરાંત લોકોને જાગૃત પણ કરાયા હતા. જેમાં સ્‍વચ્‍છતા પ્રહરી એપ ડાઉનલોડ કરી તેના ઉપયોગની સમજ, ભીનો અને સુકો કચરો અલગ તારવવા, પ્‍લાસ્‍ટિકનો વપરાશ બંધ કરવા જેવી બાબતોનોસમાવેશ થતો હતો.
સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની થયેલી ઉજવણી બાદ સમગ્ર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગંદકી અને કચરો ગાયબ દેખાય રહ્યો છે. લોકોમાં પણ સ્‍વયંભૂ જાગૃતિ આવી રહી છે. જેના કારણે પ્રશાસનના આદતોને બદલવાના અભિયાનને પણ મજબૂતી મળી રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

મોતીવાડામાં મળેલ યુવતિની લાશનો ભેદ ઉકેલાયોઃ દુષ્‍કર્મ બાદ ગળું દબાવી હત્‍યા

vartmanpravah

દાનહના કૌંચા ગામેઆરડીસી ચાર્મી પારેખના હસ્‍તે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’નું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment