Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના કૌંચા ગામેઆરડીસી ચાર્મી પારેખના હસ્‍તે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’નું ઉદ્‌ઘાટન કરાયું

હવે દાનહના આદિવાસીઓ ગિલોય, બહેડા, શતાવરી, ગોરખમુંડી, પલાશના ફૂલો સહિત આવા 87 પ્રકારના વન ઉત્‍પાદનોને ‘વન ધન વિકાસ કેન્‍દ્ર’ના સભ્‍યો દ્વારા એકત્રિત કરી ક્‍લસ્‍ટર પર વેચી વધુ આવક રળી શકશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
દાદરા નગર હવેલીના કૌંચા કરચોણ ગામે નવનિર્મિત ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર(વી.ડી.વી.કે.)’નું ઉદ્‌ઘાટન આરડીસી સુશ્રી ચાર્મી પારેખના હસ્‍તે રિબીન કાપી દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ આ પ્રસંગે ઉપસ્‍થિત દરેક ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર(વી.ડી.વી.કે.)ને બેન્‍ક પાસબુક અને ટુલકીટ વિતરણ કરવામા આવી હતી. ત્‍યારબાદ આરડીસી સુશ્રી ચાર્મી પારેખે તેમના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું કે ચાલુ નાણાંકીય વર્ષ 2021-’22માં પ્રધાનમંત્રી ‘વન ધન યોજના’ અંતર્ગત દાનહમાં ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’ સ્‍થાપિત કરવાની સ્‍વીકૃતિ અનુસૂચિત/જનજાતિ મંત્રાલય-ભારત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવી જેના અંતર્ગત 20-20 સભ્‍યોવાળા 15 કેન્‍દ્રો સ્‍થાપિત કરવાના હતા જેનું રાજ્‍ય એજન્‍સી અનુસૂચિત જાતિ/ જનજાતિ નિગમ દ્વારા આ સપનુ સાકાર કર્યુ હોવાની જાણકારી આપી હતી.
દર વર્ષે જંગલોમાં જોવા મળતા કિંમતી વન ઉત્‍પાદન જે બેકારથઈ જતા હતા હવે ક્‍લસ્‍ટરના સ્‍થાપનાને કારણે ગિલોય, બહેડા, શતાવરી, ગોરખમુંડી, પલાશના ફૂલો વગેરે આવા 87 પ્રકારના વન ઉત્‍પાદનોને વન ધન વિકાસ કેન્‍દ્રના સભ્‍યો દ્વારા એકત્રિત કરી ક્‍લસ્‍ટર પર વેચશે જેનાથી આ લોકોની વધુ આવક થશે.
ભારત સરકાર દ્વારા નિર્ધારિત ન્‍યુનતમ સમર્થન મૂલ્‍ય પર (એમએસપી) વન ઉત્‍પાદોને કેન્‍દ્ર પર ખરીદવામાં આવશે, ત્‍યારબાદ તેની સફાઈ, છુટા પાડવાની પ્રક્રિયા, મિલિંગ, પેકેજીંગ અને બ્રાન્‍ડિંગ કરી ટ્રાઈફેડના સહયોગથી બજારમાં ગ્રાહકોને વેચવામાં આવશે.
‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’ સ્‍થાપિત થવાને કારણે અહીંના આદિવાસી ભાઈઓ અને બહેનોને હવે વન ઉત્‍પાદનથી લાભ થશે અને વન ઉત્‍પાદન નષ્ટ થતાં પણ બચશે. આવનાર સમયમાં આ વન ઉત્‍પાદન અહીંના લોકોની આર્થિક ઉન્નતિનો માર્ગ ખોલશે. આ અવસરે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર’ના પદાધિકારીઓ, સભ્‍યો બેન્‍ક ઓફ બરોડા આરસેટીના મેનેજર શ્રી સુનિલ માલી, નિગમના પ્રબંધક અંબિકા સિંહ, સરપંચ, પંચાયત સભ્‍યો સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે નાની દમણની માછીમાર સમાજની શેરીમાં કરેલો ડોર ટુ ડોર પ્રચાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

નમો મેડીકલ કોલેજ સેલવાસના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

Leave a Comment