Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાની સરીગામ ગ્રામપંચાયત દ્વારા રૂપિયા 11.55 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામના આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવ ભાઈ વઘાત અને એમની સભ્‍યોની ટીમે નાણાપંચની ગ્રાન્‍ટમાંથી નિર્માણ થનારાપેવર બ્‍લોકના રસ્‍તાઓનું આજરોજ ખાતમુહુર્ત કર્યું હતું. જેમાં પ્રભુ શ્રી રામ મંદિર પાસે રૂપિયા 1.5 લાખ, જૈન દેરાસર રોડ રૂપિયા 3.00 લાખ, રામ ફળિયું રૂપિયા 2.5 લાખ, સાઈ યોગી અપાર્ટમેન્‍ટ રૂપિયા 1.00 લાખ, અને શ્રી ગણેશ હોલ ખાતે આરસીસી ટોયલેટ બ્‍લોક રૂપિયા 2.5 લાખ મળી રૂપિયા 11.5 ના ખર્ચે થનારા વિકાસના કામનો સમાવેશ થઇ રહ્યો છે.
આજ રોજ પંચાયત દ્વારા હાથ ધરેલી ખાતમુર્હુત વિધિમાં પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત, પંચાયતના સભ્‍યો શ્રીમતી તળપ્તિબેન, શ્રીમતી મંજુબેન, શ્રીમતી ઉષાબેન, શ્રીમતી અસ્‍મિતાબેન તેમજ સરીગામના અગ્રણીઓ શ્રી રાકેશભાઈ રાય, ઉપરાંત ડોક્‍ટર આશિષ આરેકર, શ્રી હિતુલભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ આરેકર, શ્રી વિનોદભાઈ ઠાકોર, શ્રી શેખર ભાઈ આરેકર સહિતના અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.

Related posts

લી કલબ ઓફ પારડી સહેલી દ્વારા ‘‘ફૂડ ફોર હંગર” કાર્યક્રમ અંતર્ગત ભોજન વિતરણ કાર્યકમ

vartmanpravah

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

vartmanpravah

મોરબી પુલ હોનારતના મૃતકોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી કાયક્રમનો કરાયેલો આરંભ : સંઘપ્રદેશમાં યોજાયો રોજગાર મેળોઃ 248 ઉમેદવારોનેએનાયત કરાયા નિયુક્‍તિ પત્ર

vartmanpravah

દાનહમાંથી પસાર થતા ‘ને.હા.નં. 848-એ’ને તાત્‍કાલિક રિપેર કરાવવા કેન્‍દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને સાંસદ કલાબેન ડેલકરની રજૂઆત

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment