Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાની સરીગામ ગ્રામપંચાયત દ્વારા રૂપિયા 11.55 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામના આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવ ભાઈ વઘાત અને એમની સભ્‍યોની ટીમે નાણાપંચની ગ્રાન્‍ટમાંથી નિર્માણ થનારાપેવર બ્‍લોકના રસ્‍તાઓનું આજરોજ ખાતમુહુર્ત કર્યું હતું. જેમાં પ્રભુ શ્રી રામ મંદિર પાસે રૂપિયા 1.5 લાખ, જૈન દેરાસર રોડ રૂપિયા 3.00 લાખ, રામ ફળિયું રૂપિયા 2.5 લાખ, સાઈ યોગી અપાર્ટમેન્‍ટ રૂપિયા 1.00 લાખ, અને શ્રી ગણેશ હોલ ખાતે આરસીસી ટોયલેટ બ્‍લોક રૂપિયા 2.5 લાખ મળી રૂપિયા 11.5 ના ખર્ચે થનારા વિકાસના કામનો સમાવેશ થઇ રહ્યો છે.
આજ રોજ પંચાયત દ્વારા હાથ ધરેલી ખાતમુર્હુત વિધિમાં પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત, પંચાયતના સભ્‍યો શ્રીમતી તળપ્તિબેન, શ્રીમતી મંજુબેન, શ્રીમતી ઉષાબેન, શ્રીમતી અસ્‍મિતાબેન તેમજ સરીગામના અગ્રણીઓ શ્રી રાકેશભાઈ રાય, ઉપરાંત ડોક્‍ટર આશિષ આરેકર, શ્રી હિતુલભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ આરેકર, શ્રી વિનોદભાઈ ઠાકોર, શ્રી શેખર ભાઈ આરેકર સહિતના અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

દાનહ પોલીસે બ્‍લેકમેઈલિંગના કેસમાં ત્રણ આરોપીઓની કરાયેલી ધરપકડઃ સ્‍થળ ઉપરથી પાંચ લાખ રૂપિયા જપ્ત કરાયા

vartmanpravah

પ્રધાનમંત્રીનરેન્‍દ્રભાઈ મોદીને આવકારવા દમણમાં યોજાયો અભૂતપૂર્વ રોડ શો

vartmanpravah

ચૂંટણીમાં હારી ગયાની અદાવત રાખી વટારમાં ચાર ઈસમોએ લાકડા અને ઢીક્કામુક્કીનો માર મારતા એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત 1લી ઓક્‍ટોબરે દમણના દેવકા બીચ ખાતે મહા સફાઈ અભિયાનનું આયોજન

vartmanpravah

ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને કારણે સરકારના લાખો રૂપિયા એળે જવાની સર્જાય રહેલી ભીતિ

vartmanpravah

Leave a Comment