April 17, 2026
Vartman Pravah
Breaking Newsખેલદમણદેશ

છત્રપતિ શિવાજી મહારાજના જન્‍મોત્‍સવની ઉજવણીના ભાગરૂપે દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણ ખાતે ‘મહારાષ્‍ટ્ર પ્રીમિયર લીગ’ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
છત્રપતિ શિવાજી મહારાજના જન્‍મોત્‍સવ નિમિતે મરાઠા સેવા સંઘ દમણ-દીવ દ્વારા દમણમાં પ્રથમવાર મહારાષ્‍ટ્ર પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર 19 ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મજયંતિની ઉજવણીના ભાગરૂપે મરાઠા સેવા સંઘની દમણ-દીવ ટીમ દ્વારા રવિવાર, તા.13 ફેબ્રુઆરી, 2022ના રોજ મહારાષ્‍ટ્ર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણ-દીવ મરાઠા સેવા સંઘના પ્રદેશ પ્રમુખ શ્રી ગણેશ પાટીલની આગેવાનીમાં મહારાષ્‍ટ્ર પ્રીમિયર લીગ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણનાવિવિધ વિસ્‍તારોમાંથી 12 ટીમોએ ભાગ લીધો હતો. છત્રપતિ શિવાજી મહારાજના જીવનથી પ્રેરિત, સામાજિક એકીકરણ તેમજ એકબીજાના પરિચય, એકબીજાને મદદ કરવા અને સમાજનો સંપૂર્ણ વિકાસ થાય તે હેતુથી તેનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કાશીનાથ કાંડેકર, સંજય રોથે, રાજેન્‍દ્ર પવાર, રાજેન્‍દ્ર કોકાટે, અનિલ ગડબેલે, ક્રિષ્‍ના કરાલે, સંજય પાટીલ, રોહિદાસ વાનખેડે, બાલાસાહેબ પાટીલ, સંજય પાટીલ, સંદીપ સનેર, અમિત પાટીલ, સ્‍વપિ્નલ શિંદે, રવિ પાટીલ, રવિ પાટીલ વગેરેએ સ્‍પર્ધાનું આયોજન કર્યું છે. પ્રશાંત ભીસે, યોગેશ વાલા, સચિન પાટીલ, શ્રી ખિરકર, કિરણ રોડે, તમામ સમુદાયના આગેવાનો અને મરાઠા સેવા સંઘના પદાધિકારીઓની મદદથી ફાઈનલ મેચ જય શિવરાય ક્રિકેટ ટીમ અને શ્રીહરિ ક્રિકેટ વચ્‍ચે રમાઈ હતી. જેમાં શ્રી હરીની ટીમનો વિજય થયો હતો. મરાઠા વોરિયર્સ કાચી ગામને ત્રીજું ઇનામ પ્રાપ્ત થયું હતું. દરેક ટીમ માટે ટ્રોફી, સમૃતિભેટ અને ખેલાડીઓ પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે દમણના નિવૃત્ત ન્‍યાયાધીશ શ્રી સુભાષ રાક્ષે, પતંજલિ યોગ પીઠના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, મરાઠા સેવા સંઘ દાદરા નગર હવેલીના મહામંત્રી શ્રી યોગેશ સોનાવણે અને મરાઠી સમાજના આગેવાનો ઉપસ્‍થિતરહ્યા હતા. પ્રદેશ પ્રમુખ શ્રી ગણેશ પાટીલે ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનો આભાર માન્‍યો હતો અને સામાજિક કાર્યમાં સહકાર આપવા અપીલ કરી હતી.

Related posts

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

વલસાડ આરોગ્ય ખાતા દ્વારા ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

vartmanpravah

Leave a Comment