Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

નવસારીઃતા.18 નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં આવેલા ચંદન તળાવ અંદાજીત રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ ઉપસ્થિત રહયા હતાં.

આ પ્રસંગે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વિજલપોર વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે. ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટથી નવસારીના નગરજનોને ખૂબ જ લાભ થશે. પાણીની સમસ્યાને પહોંચી વળવા રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. નવસારી જિલ્લામાં ટુંક સમયમાં કાકરાપાર ડેમમાંથી પાણી મળી રહેશે. આ ઉપરાંત દમણગંગાનું પાણી પણ નવસારી જિલ્લાને મળશે. પીવાનું શુધ્ધ પાણી લોકોને મળી રહે તે માટે રાજય સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે. રાજય સરકાર દ્વારાઆંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાત દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરી રહયો છે.

આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટથી નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં હવે પીવાના પાણીની સમસ્યાનો નિરાકરણ થશે. હવે લોકોને ઘરે ઘરે પીવાના પાણી મળી રહેશે. આવનારા દિવસોમાં રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી વિકાસના કામો હાથ ધરાશે.

નવસારી ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇએ પ્રસંગિક પ્રવચન કર્યુ હતું. પ્રારંભમાં નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશ શાહે મહેમાનોને આવકાર્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, શ્રી જીગ્નેશભાઇ, શ્રી અશ્વિનભાઇ, શ્રી રણજીતભાઇ સહિત, નવસારી-વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ/પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપિસ્થત રહયા હતાં.

Related posts

દમણવાડા ગ્રા.પં.ના ભામટી ગામ ખાતે યોજાઈ ચૌપાલ: નીતિ-નિયમોના પાલનની બાબતોમાં ભામટી માહ્યાવંશી ફળિયાની પ્રશંસા કરતા બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા

vartmanpravah

વેલપરવાની ગુમ પરણીતા પરત ફરી: પરણીતાએ પોતાના સાસરે અને પિયર જવાની ના કહેતા પોલીસે નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્‍ચે 60.88 ટકા મતદાનઃ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: શનિવારે થનારી મત ગણતરી સુધી 7 વોર્ડના ઉમેદવારોનું ભાવિ સીલ

vartmanpravah

પ્રદેશમાં નવા રોકાણકારોને આકર્ષવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના 70થી વધુ ઉદ્યોગોને સબસીડી સહાય પુરી પાડવા લીધેલો મહત્‍વનો નિર્ણય

vartmanpravah

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે પારદર્શક વહીવટ અને વિકાસ કામોના સોશિયલ ઓડિટ ઉપર કરેલી ચર્ચા

vartmanpravah

Leave a Comment