October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

  • દમણ લીડ બેંકના મેનેજર સુરેન્‍દ્ર કુમારે ડીજીટલ બેંકિંગના ફાયદા અને સાવચેતીની બાબતમાં આપેલું મનનીય માર્ગદર્શન

  • દમણવાડાગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લેશ કેસ અભિયાનનો હિસ્‍સો બની મોટાભાગની જરૂરીયાતો ડીજીટલ વ્‍યવહાર જેવા કે એટીએમ, ભીમ એપ, ગુગલ પે, ફોન-પે વગેરેનો ઉપયોગ કરવા ગ્રામજનોને પ્રોત્‍સાહિત કર્યા


    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18
    સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા લીડ બેંક દમણ દ્વારા ભામટી ખાતે ‘નાણાંકિય સાક્ષરતા સપ્તાહ’ના ઉપલક્ષમાં ગુરુવારે એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણની લીડ બેંકના મેનેજર શ્રી સુરેન્‍દ્ર કુમાર, દમણના નાણાંકિય સાક્ષરતા સંયોજક શ્રી ભગવતીભાઈ સુરતી તથા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી ઉપસ્‍થિત રહ્યા હતા.
    આ પ્રસંગે દમણ લીડ બેંકના મેનેજર શ્રી સુરેન્‍દ્ર કુમારે ડીજીટલ બેંકિંગના ફાયદાઓ જણાવ્‍યા હતા. તેમણે ડીજીટલ બેંકિંગના ઉપયોગ સમયે જાળવનારી સાવધાની અંગે પણ ઉપસ્‍થિત લોકોને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, ડીજીટલ બેંકિંગના ઉપયોગથી સમય અને શક્‍તિમાં પણ બચાવ થાય છે. જ્‍યારે જરૂરત હોય ત્‍યારે અને પોતાની અનુラકૂળતા પ્રમાણે ડીજીટલ બેંકિંગથી લેવડ-દેવડ શક્‍ય હોવાનું જણાવ્‍યું હતું.
    દમણ લીડ બેંક મેનેજર શ્રી સુરેન્‍દ્ર કુમારે ઉપસ્‍થિત ગ્રામજનોની બેંકને લગતી સમસ્‍યાઓ પણ સાંભળી હતી અને તેનાનિરાકરણ માટેનો માર્ગ પણ બતાવ્‍યો હતો.
    આ પ્રસંગે ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, ભામટી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી શર્મિલાબેન પરમાર સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
    કાર્યક્રમનું સમાપન કરતા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ઉપસ્‍થિત મહાનુભાવોનો આભાર પ્રગટ કરતા જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના લેશ કેસ અભિયાનના હિસ્‍સો બની આપણી મોટા ભાગની જરૂરીયાતો ડીજીટલ વ્‍યવહાર જેવા કે એટીએમ, ગુગલ પે, ફોન-પે, ભીમ એપ વગેરેનો ઉપયોગ કરવા પ્રોત્‍સાહિત કર્યા હતા.

Related posts

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

સરીગામ બાયપાસ માર્ગનું મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપીના વીઆઈએમાં રાષ્‍ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની જુદા જુદા કાર્યક્રમો થકી કરાઈ કરાયેલી ઉજવણી

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર નિરાધાર પરિવારોને માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

Leave a Comment