October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

મોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરી 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.20:

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટીતંબાડી ગામે રૂા. 97.4પ લાખના ખર્ચના ચાર વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ રૂા.31.પ0 લાખના ખર્ચે નવા બનાવવામાં આવનારા સ્‍લેબ ડ્રેઇના કામનું ખાતમુહૂર્ત  મળી કુલ રૂા. 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસ કાર્યોના લોકર્પણ અને ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરાયા હતા.

આજે લોકાર્પણ કરાયેલા કામોમાં મોટી તંબાડી વાડી ફળિયા બાબુભાઇના ઘરથી સીલીબોર્ડરને જોઇનિંગ એક કિ.મી. રોડ રૂા.1પ.7પ લાખ, રૂા.4પ લાખના ખર્ચે મોટીતંબાડી મેઇન રોડથી વડીયા ફળિયા રોડથી ચીભડકચ્‍છ જોઇનિંગ ર.40 કિ.મી. રોડ, મોટી તંબાડી મેઇન રોડથી અમર ફળિયા 1.20 કિ.મી. રોડ રૂા.17.44 લાખ જ્‍યારે ખાતમુહૂર્ત કરાયેલા કામમાં રૂા.31.પ0 લાખના ખર્ચે નવા બનાવવામાં આવનારા સ્‍લેબ ડ્રેઇનના કામનો સમાવેશ થાય છે.

આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામની મિલકત છે, જેની જાળવણી કરવી એ આપણા સૌનીજવાબદારી છે. રાજ્‍યના દરેક ગામોમાં વિકાસની સાથે પાયાકીય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્‍ય સરકાર અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. લોકોની જરૂરિયાત ને ધ્‍યાને રાખી વિવિધ ગામોને જોડતા રસ્‍તાઓ પહોળા બનાવશે. તેની સાથે ફળિયાના રસ્‍તાઓ પણ બનાવવાનું આયોજન કરાયું છે. દરેક ગામોમાં સાતત્‍યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે જરૂરિયાત પ્રમાણે સબ સ્‍ટેશન બનાવવામાં આવી રહયા છે. રાજ્‍ય સરકારના બાગાયત અને ખેતી વિભાગની વિવિધ યોજનાકીય સહાય મેળવવા માટે પોર્ટલ ખુલ્લું છે, જેનો દરેક ખેડૂતોને લાભ લેવા જણાવ્‍યું હતું. આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ પાંચ લાખ સુધીની તબીબી સહાય મળે છે, જેનો જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓ લાભ મેળવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા પ્રજાજનોને કોઈ મુશ્‍કેલી ન પડે અને સરકારના યોજનાકીય લાભો સરળતાથી મળી રહે તે માટે સરપંચ સહિત પદાધિકારીઓ તકેદારી રાખે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્‍વાગતગીતો રજૂ કર્યાં હતાં.

આ અવસરે વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન, સરપંચ વિનોદભાઇ, તલાટીકમ મંત્રી વિશાલભાઇ, અગ્રણી રમેશભાઇ, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્‍યો, માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારી/કર્મચારીઓ, ગ્રામજનો ઉપન્‍સ્‍થત રહયા હતા.

Related posts

દાનહ કલેક્‍ટર કચેરી 1જાન્‍યુઆરી, 2023થી નવી બિલ્‍ડીંગમાં કાર્યરત થશે

vartmanpravah

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્‍માન

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

Leave a Comment