June 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) આલીદર, તા.20
ગાયત્રી પરિવાર આલીદર અને શ્રી રણછોડ બાપુ આંખની હોસ્‍પિટલ રાજકોટનાં સંયુક્‍ત ઉપક્રમેઆલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 250 જેટલા દર્દીઓની આંખોનું નિદાન કરવામાં આવ્‍યું હતું. જેમાંથી 51 જેટલા દર્દીઓને મોતિયાના નિઃશુલ્‍ક ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્‍યાં હતા. તેમજ દર્દીઓને ચા પાણી અને ભોજનની વ્‍યવસ્‍થા દાતા શ્રી ગોવિંદભાઈ પઢિયાર અને ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ તકે વજુભાઈ બારડ, પ્રતાપભાઈ જોશી, વજુભાઈ સોલંકી, મહેશભાઈ પંડ્‍યા, ભરતભાઈ બારૈયા વગેરે ગ્રામજનો સેવાકાર્યમાં સહભાગી બન્‍યા હતા. એવું ગાયત્રી પરિવાર આલીદરનાં સંયોજક અને શ્રી માધ્‍યમિક શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય શ્રી જગમાલભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.

Related posts

સીબીએસસીઆઈ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ઝળકી

vartmanpravah

વાપી નૂતનનગર ખુલ્લા મેદાનમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્‍ચે પાણીનો થઈ રહેલો વેડફાટ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

vartmanpravah

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વાપીના વટાર, મોરાઈ, નામધા સહિતના ગામોમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો ધુંઆધાર ચૂંટણી પ્રચાર

vartmanpravah

Leave a Comment