Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

દાનહ અને દમણ-દીવમાં પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરની વિવાદાસ્‍પદ ભૂમિકા સામે દાનહના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને દમણ-દીવના વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ સહિત અનેક હોદ્દેદારોએ પણ ભાજપ હાઈકમાન્‍ડને કરી હતી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લા 12 કરતાં વધુ વર્ષોથી કાર્યરત શ્રી વિવેક દાઢકરની બદલી અંદામાન અને નિકોબાર ટાપુના પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે કરવાનો આદેશ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ જારી કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના સંગઠન મહામંત્રી તરીકે શ્રી વિવેક દાઢકરની કાર્યપ્રણાલી સામે પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ-દીવના વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સહિતના અનેક પદાધિકારીઓએ ભાજપ હાઈકમાન્‍ડને મૌખિક રજૂઆતો પણ કરી હતી. વર્તમાન પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ સાથે પણ શ્રીવિવેક દાઢકરની અનેક મુદ્દાઓ ઉપર ચકમક ઝરી હોવાનું ભાજપના કાર્યકરો દ્વારા જાણવા મળે છે.
છેવટે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભાજપના સંગઠનને મજબૂત અને અસરકારક બનાવવા માટે સંગઠન મહામંત્રી તરીકે શ્રી વિવેક દાઢકરની નિયુક્‍તિ કરી હોવાનું સમજાય છે.

Related posts

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

હવે અંતરિક્ષમાં નવી ક્ષિતિજનો સૂર્યોદય સંઘપ્રદેશમાં સ્‍કૂલથી સડક સુધી, પ્રશાસનથી પંચાયત, મંદિરથી માર્કેટ દરેક જગ્‍યાએ બસ ચાંદ જ ચાંદ

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

Leave a Comment